Indore Pravasi Bhartiya Sammelan: પ્રવાસી ભારતીય સંમેલન (Pravasi Bharatiya Sammelan) આજથી શરૂ થઈ રહ્યું છે. ગઈકાલે ઇન્દોર શહેરને એક દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું. આ સંમેલન માટે 10 હજાર વધુ સુરક્ષાકર્મીઓને ફરજ પર મુકવામાં છે. પ્રવાસી ભારતીય સંમેલન પછી તરત જ 11 જાન્યુઆરીથી વૈશ્વિક ઇન્વર્સ્ટર્સ સમિટ (ગ્લોબલ ઇન્વરસ્ટર્સ સમિટ)નું આયોજન થશે, તે 8 થી 12 જાન્યુઆરી સુધી રહેશે.


પહેલા 16વાં પ્રવાસી ભારતીય પરિષદ નવી દિલ્હીમાં વર્ષ 2021માં વર્ચ્યુઅલ મોડમાં થયું હતું.. તેના પછી હવે ઈન્દૌર શહેરમાં થઈ રહ્યું છે. 8 થી 10 સુધી પીબીડી કોન્ફરન્સના ત્રણ દિવસીય કાર્યક્રમમાં યુવા પ્રવાસી ભારતીય દિવસ, શરૂઆતનો દિવસ અને સમાપન દિવસની સાથે-સાથે વિષય આધારિત મહત્વપૂર્ણ કેન્દ્રો સામેલ થયા છે. કોન્ફરન્સનો પહેલો દિવસ  એટલે કે 8 જાન્યુઆરીએ યુવા પ્રવાસીઓથી જોડવા માટે ભારતીય પ્રવાસી દિવસ મનાવવામાં આવશે.


કોન્ફરન્સનો બીજો દિવસ 9 જાન્યુઆરીનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર એ દેશના પીએમ નરેન્દ્ર મોદીની હાજરી હશે. તેઓ સૂરીનામના રાષ્ટ્રપતિ સંતોખી અને ગુયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલી સાથે મંચ વહેંચશે. તે પછી બપોરે  108 લોકો સાથે લંચ થશે. પ્રવાસી સંમેલનનો ત્રીજો દિવસ 10 જાન્યુઆરીના દેશની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 27 પ્રવાસી ભારતીયોને સન્માનિત કરશે. આ દિવસે આવનારા બંને સત્રમાં ભારત વર્ક ફોર્સ અને વુમન ઇન્ટરપ્રેન્યોરશિપ પર વાત થશે.


ત્રણ દેશોના રાષ્ટ્રપતિ હાજરી આપશે:


17મી પ્રવાસી ભારતીય સંમેલનમાં મુખ્ય અતિથિ કો-ઓપરેટિવ ગુયાનાના રાષ્ટ્રપતિ ડો. મોહમ્મદ ઇરફાન અલી અને સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી વિશેષ અતિથી હશે. ત્યારે જ ઓસ્ટ્રેલિયાના સંસદ સભ્ય જનેતા મેસ્કરેનહાસ 8 જાન્યુઆરીએ  યુથ પ્રવાસી સંમેલનમાં સન્માનિત અતિથી હશે. વિચારવા જેવું એ છે કે 17માં પીબીડી સમ્મેલનમાં અત્યાર સુધી પ્રવાસીઓને ખુબ સુંદર પ્રતિક્રિયા મળી રહી છે. અત્યાર સુધી 70 દેશોમાંથી 3500થી વધુ વ્યક્તિઓ નોંધણી કરાવી ચુક્યા છે.


આજથી ઇન્દૌરમાંવ પ્રવાસી ભારતીય સંમેલન શરૂ:



મધ્ય પ્રદેશના ઈન્દૌરમાં આજથી 17માં પ્રવાસી ભારતીય સંમેલનની શરૂઆત થઇ ગઈ ચેહ . આ સમ્મેલન 10 જાન્યુઆરી સુધી ચાલશે. સોમવારે એટલે કે 9 જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદી પણ ઈન્દૌર પહોંચીને આ કાર્યક્રમમાં હાજરી આપશે.