Yoga Day Celebration Live: આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: સિયાચીનથી માંડીને સમુદ્ર સુધી બધું યોગમય
International Yoga Day Celebration Live: આજે 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. PM મોદી વિશ્વભરના દેશોના 3000 રાજદ્વારીઓ સાથે યોગાભ્યાસ કરશે. અહીં તમામ લાઇવ અપડેટ્સ વાંચો
gujarati.abplive.comLast Updated: 21 Jun 2023 02:30 PM
બ્રેકગ્રાઉન્ડ
International Yoga Day 2023 Live: યોગ દિવસ પર સમગ્ર વિશ્વમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી પણ અમેરિકાની સરકારી મુલાકાતે ગયા છે. આજે વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય...More
International Yoga Day 2023 Live: યોગ દિવસ પર સમગ્ર વિશ્વમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી પણ અમેરિકાની સરકારી મુલાકાતે ગયા છે. આજે વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આયોજિત ઐતિહાસિક સમારોહમાં યોગ કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં યુએનના ટોચના અધિકારીઓ, વિશ્વભરના રાજદૂતો અને 180 થી વધુ દેશોના મહાનુભાવો હાજરી આપશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ પણ વડાપ્રધાન સાથે યોગ કરવાના છે. 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 2022માં યોગ દિવસની ઉજવણી કોવિડને કારણે વર્ચ્યુઅલ રીતે કરવામાં આવી હતી. ડિસેમ્બર 2014માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરતો ઠરાવ પસાર કર્યો હતો. આવી સ્થિતિમાં, નવ વર્ષ પછી પ્રથમ વખત, પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ સત્રનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જિલ બિડેનના આમંત્રણ પર અમેરિકા ગયા છે. યોગ દિવસના અવસરે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, યોગ એક એવી સાધના છે જે તે શરીર અને મનને સ્વસ્થ કરીને માનવતા અને પ્રકૃતિથી વિશ્વભરના લાખો લોકોને એકસૂત્રતાના તાંતણે બાંધે છે યોગ સત્ર 21 જૂનના રોજ સવારે 8 થી 9 દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના ગ્રેટ નોર્થ પાર્કમાં યોજાશે, જ્યાં રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રને ભેટ તરીકે મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ગયા. પીએમ નરેન્દ્ર મોદી મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.
જામનગરમાં પ્રાર્થના અને શંખનાદ વચ્ચે યોજાયુ યોગ સત્ર
જામનગર શહેરમાં અજિતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે જિલ્લા કક્ષાની 'વિશ્વ યોગ દિવસ' ની ઉજવણી કરવામાં આવી. જામનગરમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા યોગ કો- ઓર્ડીનેટર હર્શિદાબેન મહેતાના માર્ગદર્શન હેઠળ હાજર લોકોએ યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કર્યો હતો. ઓમકારના ઉચ્ચારણ, શંખનાદ સાથે યોગ કરીને લોકોએ અલોકિક અનૂભુતિનો અનુભવ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અલ્મોડામાં યોગ કર્યા. અહીં ધામીએ કહ્યું, "આજે અહીં 20 હજારથી વધુ લોકોએ યોગ કર્યા. ચોક્કસપણે અમે ઉત્તરાખંડને યોગ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં વિકસાવવા માટેના તમામ શક્ય પ્રયાસો કરીશું. અમે આજે પ્રતિજ્ઞા પણ લઈએ છીએ કે જ્યાં સુધી આ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં....
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ કર્યા હતા. તેમણે કહ્યું કે, "યોગ એ આપણા દેશની પરંપરા છે. આ દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે કે આજે વિશ્વના 192 દેશો યોગના કાર્યક્રમો કરી રહ્યા છે, વિશ્વ આપણા દેશની પરંપરાને અપનાવી રહ્યું છે."
રાષ્ટ્રપતિ મુર્મુએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પાઠવી શુભેચ્છા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, "આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દરેકને શુભેચ્છાઓ! યોગ એ આપણી સંસ્કૃતિની મહાન સિદ્ધિઓમાંની એક છે. યોગ શરીર અને મન વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે. યોગ એ જીવન પ્રત્યેનો સર્વગ્રાહી અભિગમ છે. યોગ આપણા. જીવનમાં વધતા પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવે છે. આ દિવસે, હું દરેકને તેમના રોજિંદા જીવનમાં યોગ અપનાવવા અને તેની પરિવર્તનશીલ શક્તિનો અનુભવ કરવા વિનંતી કરું છું."
Yog Day: વડોદરાની સંસ્કૃતિ નગરીમાં સવાર બની યોગમય, 2000 લોકો યોગ સત્રમાં જોડાયા
વડોદરામાં 9 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવામાં આવી. અકોટા દાંડિયા બજાર બ્રિજના સોલાર પેનલ નીચે સવારે યોગસ યોજવામાં આવ્યું હતું. સાંસદ રંજનબેન ભટ્ટ, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય કેયુર રોકડીયા, પોલીસ કર્મચારીઓ, કોર્પોરેશન અધિકારી અને શાળાના વિદ્યાર્થીઓ સહિત 2000 થી વધુ યોગાસત્રમાં જોડાયા હતા
વિશ્વ યોગ દિવસની અમદાવાદમાં ઠેર-ઠેર ઉજવણી થઇ રહી છે. સોલા ભાગવત વિદ્યાપીઠમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અહીં વરતન્તુ સંસ્કૃત મહાવિદ્યાલય ડિપ્લોમા યોગ વર્ગે યોગસત્રનું આયજન કર્યું હતું. પાઠશાળાના ઋષી કુમાર સાથે સ્કુલના વિદ્યાર્થીઓ અને નાગરિકોએ સાથે મળી યોગા કર્યો
BSFના જવાનોએ વિશ્વ યોગ દિવસની કરી ઉજવણી બનાસકાંઠાના દાંતીવાડા ડેમ પર......યોગ શિબિરમાં BSFના કમાન્ડર સહિત ગ્રામજનો જોડાયા....BSFના જવાનોએ કર્યા વિવિધ યોગાસન...
BSFના જવાનોએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી. અહીં જવાનોએ બનાસકાંઠાના દાંતીવાડા ડેમ પર યોગસત્ર યોજાયું, જેમાં BSFના કમાન્ડર સહિત ગ્રામજનો જોડાયા....BSFના જવાનોએ વિવિધ યોગાસન કરી યોગને જીવનનો હિસ્સો બનાવવા માટે અનુરોધ કર્યો
આંતરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ગૃહમંત્રી હર્ષસંઘવી પણ યોગસત્રમાં રહ્યાં ઉપસ્થિ
આંતરરાષ્ટ્રિય યોગ દિવસ વિશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્નું કે, સુરતમાં દોઢ લાખથી વધુ લોકોએ યોગ શિબિરમાં જોડાતા આભાર.વાધારેમાં વધારે લોકો યોગ માટે જાગૃત રહી યોગ શિબિરમાં જોડાવા અપીલ કરી
ઇન્ટરનેશનલ યોગ દિવસના અવસરે સુરત યોગ સત્રે રચ્યો ઇતિહાસ
આજે વિશ્વ 9મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ અવસરે આયોજીત સુરતમાં યોગસત્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી હાજર રહ્યાં હતા. આ યોગ સત્રમાં દોઢ લાખથી વધુ લોકો જાડાઇને રેકોર્ડ રચ્યો છે. ગત વર્ષે યોગસત્રમાં 1 લાખ 5 હજાર લોકો જોડાયા હતા
યોગ દિવસના અવસરે પીએમ મોદીના મંત્રીઓ પણ યોગ કરી રહ્યાં છે.કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના નોઈડા ઈન્ડોર સ્ટેડિયમમાં યોગ કર્યા.
નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. વસુધૈવ કુટુંબકમની થીમ પર નવી દિલ્હીથી ન્યુયોર્ક સુધી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી સાંજે 5.30 વાગ્યે ન્યૂયોર્કમાં યુએન હેડક્વાર્ટરમાં યોગ કરશે.
સમગ્ર દેશમાં યોગ દિવસ પર કેન્દ્ર સરકાર અને ભાજપ દ્વારા અનેક મોટા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. યોગ દિવસ પર ભારત સરકારનો સૌથી મોટો કાર્યક્રમ જબલપુરમાં યોજાશે જ્યાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર થોડી જ વારમાં 15,000 લોકો સાથે યોગ કરશે. આ સિવાય નાણામંત્રી નિર્મલા સીતારમણ ફ્રાન્સમાં યોગ કરશે, ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ આઈએનએસ વિક્રાંત પર દરિયા કિનારે યોગ કરશે.
યોગ દિવસ પર પીએમ મોદીએ અમેરિકાથી એક વીડિયો સંદેશ મોકલ્યો છે. પીએમ મોદીએ કહ્યું, આજે આખું વિશ્વ વસુધૈવ કુટુંબકમની થીમ પર એકસાથે યોગ કરશે. લોકોએ યોગ દ્વારા પૂજાનો સાક્ષાત્કાર કર્યો છે. યોગ વૈશ્વિક ભાવના બની ગયું છે. યોગ આપણને એકબીજા સાથે જોડે છે
યોગ દિવસ પર પીએમ મોદીએ કહ્યું કે, યોગનું વિસ્તરણ એ વિચારનું વિસ્તરણ છે જે સમગ્ર વિશ્વને એક કરે છે. G20ની થીમ પણ વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચર રાખવામાં આવી છે. યોગ એવા સ્વસ્થ અને સક્ષમ સમાજનું નિર્માણ કરે છે જેમાં વધુ ઉર્જા હોય છે. ભારતની ફિલોસોફી હોય કે વિઝન, આપણે વિવિધતાની ઉજવણી કરીએ છીએ. . યોગ આપણી આંતરદૃષ્ટિને જોડે છે. આપણે યોગ દ્વારા વિરોધાભાસ દૂર કરવાના છે