Jammu Kashmir Encounter : સુરક્ષા દળોએ પુલવામાના ચાંગમ વિસ્તારમાં બુધવારે સવારે એન્કાઉન્ટર દરમિયાન એક પાકિસ્તાની સહિત જૈશના ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.


સુરક્ષા દળોએ બુધવારે સવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં એન્કાઉન્ટર દરમિયાન એક પાકિસ્તાની સહિત ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા ત્રણેય આતંકી જૈશ-એ-મોહમ્મદના સભ્યો હતા. તેમની પાસેથી હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા છે. કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે, ચાંદગામ, પુલવામામાં એન્કાઉન્ટર દરમિયાન જૈશના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી એક પાકિસ્તાનનો નાગરિક હતો. તેમની પાસેથી બે M-4 કાર્બાઈન, એક AK-47 રાઈફલ અને અન્ય વિસ્ફોટક મળી આવ્યા છે.





" title="" >


અગાઉ આ અંગે માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ચાંદગામ ગામમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ જ્યારે તેઓ રાજી ન થયા તો એન્કાઉન્ટર શરૂ થયું. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવા માટે સુરક્ષા દળો દ્વારા શરૂ કરવામાં આવેલા આ ઓપરેશનમાં ગઈકાલે જ તેના નામે મોટી સફળતા હાથ લાગી હતી. વાસ્તવમાં, સુરક્ષા દળોએ ગઈકાલે શ્રીનગરમાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.


જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે એટલે કે 4 જાન્યુઆરીએ શ્રીનગરની બહારના હરવનમાં લશ્કર-એ-તૈયબાનો  એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે એક ટ્વિટમાં માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ સલીમ પારે તરીકે દર્શાવી  હતી, જે લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો.