જામનગરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર નરાધમ આચાર્ય ઝડપાયો હતો. મળતી જાણકારી અનુસાર, જામનગરમાં એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. દુષ્કર્મ આચરનાર નરાધમ આચાર્યને જામનગર પોલીસે ઝડપી લીધો હતો. આચાર્ય મનીષ બુચની વડોદરાથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી આચાર્યને જામનગર લાવવામાં આવશે.


સમગ્ર મામલામાં જામનગર પોલીસની ભૂંડી ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. ફરિયાદથી માંડીને આરોપીના ઝડપાયા સુધીના ઘટનાક્રમમાં પોલીસે ઢાંકપીછોડાના પ્રયાસો કર્યા હતા. જામનગર પોલીસે કોઈ સતાવાર વિગતો મીડિયાને આપી જ નહોતી.


Jamnagar: રોડ પર પાર્ક કરેલા વાહનોમાંથી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ


જામનગર:  જામનગરમાં રસ્તા પર પાર્ક વાહનોમાંથી જીરૂ ચોરનારી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે.    જામનગરના જોડિયાના એક પેટ્રોલપંપ પાસે ટ્રકમાંથી 258 મણ જીરુ જેની કીમત 17 લાખ થાય તેની ચોરી થઈ હતી. વેપારી યાર્ડમાંથી જીરૂ ભરી લાવ્યો હતો. ત્યારે રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો. જે બાદ જામનગર એલસીબી આ ગેંગને ઝડપી પાડવા કામે લાગી હતી. 


જામનગર પોલીસે દડીયા ગામ પાસે વોચમાં રહી ગોધરાની તાલપત્રી ગેંગને આઈશર ગાડી તથા ચાર ઇસમો ખાલીદ ઉર્ફે ડાંગરી ઉર્ફે ભુરીયો યાકુબ શેખ, ઇરફાન અબ્દુલહમીદ શેખ, ફૈસલ યાકુબ શેખ, સુફીયા યાકુબ શેખને પકડી પાડી તેમની પાસેથી 225 મણ જીરૂ, આઈશર ગાડી, 3 મોબાઈલ વગેરે મળી 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ચોરીમાં સંડોવાયેલા રમેશ જાળીયા આદિવાસી અને સુલેમાન અબ્દુલ ગની કઠડીને પોલીસે ફરાર જાહેર કર્યા છે.


આરોપીઓ તાલપત્રી  ગેંગના સભ્યો છે. તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજ્યમાં હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ તથા હોટલ પર રાત્રિના ટ્રક, માલ ભરેલા વાહન રાખેલા હોય તેના પર ચડી તાલપત્રી કાપી માલ ચોરી કરીને લઈ જતાં. આરોપીઓ વિરુદ્ધ ગોધરા, સાયલા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, એમ.પી. વગેરેમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે.


Southwest Monsoon: ભારતમાં કેવું રહેશે ચોમાસું ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી


હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. આ વર્ષે 96 ટકા (+/-5%) ચોમાસું રહેશે.આ વર્ષે સમગ્ર દેશમાં 83.7 મીમી વરસાદ પડશે. જુલાઈની આસપાસ અલ-નીનોની સ્થિતિ પ્રવર્તી શકે છે. ચોમાસા સાથે અલ-નીનોનો કોઈ સીધો સંબંધ રહેશે નહીં.  પેસિફિક મહાસાગરમાં પેરુ નજીક સપાટીના ઉષ્ણતાને અલ નિનો કહેવામાં આવે છે. અલ નીનોના કારણે સમુદ્ર અને વાતાવરણના તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પરિવર્તનને કારણે સમુદ્રનું તાપમાન 4-5 ડિગ્રી વધે છે. અલ નીનોના કારણે સમગ્ર વિશ્વના હવામાનને અસર થઈ છે