Jamnagar: હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે જામનગરમાં એક કરૂણ કિસ્સો સામે આવ્યો છે. પુત્રીના લગ્નના એક દિવસ પહેલાં જ પિતાએ આપઘાત કરી લેતાં ખુશીનો માહોલ માતમમાં ફેેરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગામલોકોમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.


ઘરની બાજુમાં બની રહેલા મકાનમાં ગળાફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન

જામનગરના નવાગામ ઘેડમાં રહેતા નરોત્તમભાઇ રાઠોડની પુત્રીના આવતીકાલે લગ્ન હતા. લગ્નના આગલા દિવસે તેમણે આપઘાત કરી લીધો હતો. પુત્રીના લગ્ન પહેલા પિતાના આપઘાતથી ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોતાના ઘરની બાજુમાં બની રહેલા મકાનમાં ગળેફાંસો ખાઈ પિતાએ આપઘાત કરતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ઘટનાના પગલે પોલીસ દોડી ગઈ હતી અને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.




અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને ઘરે જઇ મારી નાખવાની ધમકી આપી


બાપુનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવક કોરોના કાળમાં મહિલા સાથે પ્રેમ સબંધ રાખવા દબાણ કરતો હતો જેથી મહિલાએ જે તે સમયે તેને લાફો માર્યો હતો, જેની અદાવત રાખીને આજે બપોરે યુવક દારુ પીને મહિલાને ઘરે ગયો હતો ચાર લાખની માંગણી કરીને મહિલાના ભાઇ સાથે તકરાર કરીને લાફા માર્યા હતા. છોડાવવા મહિલા વચ્ચે પડતા ચાકુ બતાવીને સાંજ સુધી મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. બાપુનગરમા  અન્નપૂર્ણા સોસાયટી પાસે   વિરાભગતની ચાલીમાં રહેતી ૩૨ વર્ષીય મહિલાએ બાપુનગરમાં અનિલ સ્ટાર્ચ મીલ સામે રાધારમણ ફ્લેટમાં રહેતા વિશાલભાઇ મણિલાલ આરસોડિયા સામે  બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે કોરાના કાળ દરમિયાન મહિલા સિવિલમાંથી આવતી જતી હતી ત્યારે આરોપીઓ રસ્તામાં રોકીને પ્રેમ સબંધ બાંધવાની વાત કરી હતી જેથી મહિલાએ જે તે સમયે લાફો મારી દીધો હતો. આજે બપોરે મહિલા પોતાના પિતાના ઘરે હાજર હતી આ સમયે આરોપી દારુ પીને તેમના ઘરે ગયો હતો અને રૃપિયા ચાર લાખની માંગણી કરવા લાગ્યો હતો જેથી મહિલાએ શેના રૃપિયા આપવાના તેમ કહેતા તકરાર કરી હતી જેથી આ સમયે મહિલાના ભાઇે વચ્ચે પડતાં તેને લાફા મારીને તેની સાથે મારા મારી કરવા લગ્યો હતો મહિલા છોડાવવા વચ્ચે પડતાં ચાકુ બતાવીને સાંજ સુધીમાં મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો  હતો.