જામનગર: આજે જામનગર ખાતે બીજેપીના ત્રણ મહિલાઓ વચ્ચે થયેલા બોલાચાલી લઈને સમગ્ર રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ મામલે જામનગરના મેયર અને ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જો કે, સાંસદ પૂનમ માડમે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. હવે મોડી સાંજે પૂનમ માડમે પોતાની વાત મીડિયા સમક્ષ રાખી છે. તેમણે કહ્યું કે, મે મોવડી મંડળની મંજૂરી બાદ હું પ્રતિક્રિયા આપી રહી છું.

 

જામનગરમાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે વિવાદ મુદ્દે આખરે સાંસદ પૂનમ માડમે મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે,પાર્ટીની અનુમતિ બાદ હું નિવેદન આપી રહી છું. મેયર મારા મોટાબેન જેવા છે જ્યારે રીવાબા નાનાબેન સમાન છે. ક્યાંય ગેરસમજનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મારી ભૂમિકા ન માત્ર સાંસદ પણ પાર્ટીના કાર્યકર તરીકે હતી. ટુંકી ગેરસમજ થઈ છે જેનો વીડિયો વાઇરલ થયો છે જેનાથી વધુ કાઈ જ નથી.ભાજપ પરિવાર મજબૂત પરિવાર છે. આ પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, બે મહામંત્રીઓ અને મેયર પણ હાજર રહ્યા હતા. એ સ્થળ કોઈ વધુ ચર્ચા કરવાનું નહોતું માટે મે સ્થળ પર સોરી કહ્યું હતું. 

 

શું હતો વિવાદ?

શહીદોની શ્રદ્ધાજલિ કાર્યક્રમ દરમિયાન ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર જોવા મળ્યો. આજે જામનગરમાં જાહેર મંચ પરથી ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલ વાદ વિવાદ હાલ ચર્ચામાં છે. જામનગરમાં શહીદોની શ્રદ્ધાજલિ અતર્ગત યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય રિવાબા ગુસ્સામાં લાલઘૂમ જોવા મળ્યાં. રિવાબા સાંસદ અને ઉચ્ચ અધિકારીની ઉપસ્થિતિમાં આક્રોશમાં જોવા મળ્યાં હતા. તેમના ગુસ્સાનો આ વીડિયો વાયરલ પણ થયો છે. જો કે તેમણે આ મામલે મીડિયા સમક્ષ રૂબરૂ થતાં સમગ્ર મુદ્દો શું હતો તે મુદ્દે સ્પષ્ટીકરણ આપ્યું હતું.

રિવાબાના ગુસ્સાનું કારણ શું હતું?

આ વાતને લઇને સાંસદ પૂનમ બહેન માડમે કોઇનું નામ લીધા વિના કહ્યું કે. કેટલાક ભાન વિનાના લોકો ઓવરસ્માર્ટ થાય છે. પીએમ કે રાષ્ટ્રપતિ પણ શહીદના સ્મારક પર ચપ્પલ ઉતારીને શ્રદ્ધાંજલિ નથી આપતા જ્યારે અહીં બધા ચપ્પલ ઉતારીને. આ મુદ્દે રિવાબા ગુસ્સે થયા હતા અને શહીદોને સન્માનમાં ચપ્પલ ઉતારવા એ ઓવરસ્માર્ટનેસ નથી તેવો જવાબ આપ્યો હતો. બાદ  પૂનમ બહેન માડમનો પક્ષ લેતા મેયર બીના બહેન પણ રિવાબા સામે ઉદ્ધતાઇથી વાત કરીને હતી. જે સમગ્ર ઘટનાને લઇને રિવાબા રોષે ભરાયા હતા. રિવાબાએ આ સમગ્ર ઘટના વિશે સ્પષ્ટીકરણ આપતા મીડિયાકર્મીને પણ સત્ય, નિષ્પક્ષ રીતે લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી

સી.આર.પાટીલે શું કહ્યું?ભાજપના ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાતા આ મુદો હાલ ચર્ચામા છે. આ ઘટનાને લઇને જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, હું આ ઘટના અંગે તપાસ કરાવીશ.