Khyati Hospital Live Update: બે દર્દીના મૃત્યુ બાદ હોસ્પિટલનો સ્ટાફ રવાના, ડોક્ટર્સ ભૂગર્ભમાં, પરિજનોમાં આક્રોશ

Ahmedabad News: અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, અહીં સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીના મૃત્યુ થતાં પરિવારજનોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Nov 2024 12:55 PM

બ્રેકગ્રાઉન્ડ

Ahmedabad News: અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થયાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યાં...More

પૂર્વ આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ પહોંચ્યા ખ્યાતિ હોસ્પિટલ

પૂર્વ આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ  ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. મીડિયા સાથે રુબરૂ થતાં આ મામલે નિતીન પટેલે કહ્યું હતું કે, સરકારી યોજનાનો દુરૂપયોગ થયાની શક્યતા છે.19 દર્દીઓ પૈકી કેટલાકને એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરાઇ છે. કેટલીક હોસ્પિટલો ધંધાદારી પ્રવૃતિ કરે છે, એકસાથે દર્દીઓને લવાતા  તે શંકા ઉપજાવે તેવી ઘટના છે.