સ્વર કોકિલાનું આજે સવારે નિધન થયું છે. લતા મંગેશકરની તબિયત અતિ નાજુક થતાં ફરી તેમને એક વખત વેન્ટિલેટર પર કરાયા શિફટ કરાયા હતા. , બહેન આશા પણ હોસ્પિટલ પહોંચી હતી.


સ્વરા કોકિલા લત્તામંગેશકર આજે દુનિયાને અલવિદા કહી ગયા. ગઇકાલે તેમની  હાલત અત્યંત નાજુક બની ગઈ હતી. તેમને ફરીથી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા હતા. ઉલ્લેખનિય છે કે,   કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


સ્વરા કોકિલા લતા મંગેશકરની  હાલતમાં એક સમયે સુધાર આવ્યો હતો. જો બાદ  અત્યંત નાજુક બની ગઈ હતી.  તેમને ફરીથી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયા હતા.  કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


 92 વર્ષીય લતા તાઈ ત્યારથી ICUમાં છે. હોસ્પિટલની બહાર સુરક્ષા કડક કરી દેવામાં  હતી. હેન આશા ભોંસલે અને ભાઈ હૃદયનાથ મંગેશકર પણ લતા તાઈની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતાય  લગભગ બે કલાક અંદર રહ્યાં પછી બંનેએ કહ્યું, દીદી ઠીક છે અને તેમના સ્વસ્થ્ય  માટે પ્રાર્થના કરો તેવી નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું. .


લત્તાજીની બગડતી તબિયતના સમાચાર સાંભળીને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મિ ઠાકરે પણ મોડી સાંજે હોસ્પિટલ પહોંચ્યા હતા. બપોરે શરદ પવારની પુત્રી અને એનસીપી નેતા સુપ્રિયા સુલે પણ સ્વર કોકિલાની તબિયત જાણવા હોસ્પિટલ પહોંચી હતી. આ પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે હોસ્પિટલ પહોંચ્યા હતા.


લતાજીની સારવાર કરી રહેલા ડૉક્ટર પ્રતત સમદાનીએ સાંજે 4:45 વાગ્યે પોતાના નિવેદનમાં કહ્યું કે, લતાજી હજુ પણ ICUમાં છે અને તેમને અગ્રસિવ થેરેપી ,  આપવામાં આવી રહ્યી છે. ડોકટરોની ટીમ 24 કલાક તેમના પર નજર ખી રહી છે.


થોડા દિવસો પહેલા લતા મંગેશકરના મૃત્યુની અફવાઓ સામે આવી હતી. આ પછી, તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને, પરિવારના સભ્યોએ કહ્યું કે, મહેરબાની કરીને ખોટા સમાચારો પર ધ્યાન ન આપો અનેઆવી ખોટી અફવા ન ફેલાવલી જોઇએ. આ સંવેદનશીલ છે.  લત્તા મંગેશકરન 92 વર્ષ સુધીની ઉંમરે પણ સ્વસ્થ હતા જો કે કોરોના બાદ તેની શરીર વધુ નબળું પડી ગયું હોવાનું સામે આવ્યું હતું.


પાંચ દિવસ પહેલા મીડિયા સાથે વાત કરતા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે, "મેં લતાજીની સારવાર કરી રહેલા ડૉક્ટરો સાથે વાત કરી હતી. તેઓ સ્વસ્થ થઈ રહ્યાં છે. તેમણે કોરોના અને ન્યુમોનિયાને હરાવ્યો છે. તેઓ પહેલા વેન્ટિલેટર પર હતા." પરંતુ આજે તેમનું વેન્ટિલેટર પણ થઈ ગયું છે. દૂર કરવામાં આવી છે. હવે તેમને માત્ર ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. લતાજીએ તેમની આંખો ખોલી છે અને ડૉક્ટરો સાથે વાત પણ કરી રહી છે. તેઓ કોરોનાને કારણે થોડા નબળા પડી ગયા છે, પરંતુ હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે." જો કે ફરી તેમની તબિયત લથડતાં તેમને ફરી વેન્ટીલેટર પર લેવાની ફરજ પડી હતી