Mahatma Gandhi death anniversary:30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ આ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.શહીદ દિવસ મહાત્મા ગાંધીના બલિદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવાની તક પૂરી પાડે છે.


ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવામાં ગાંધીજીએ બહુ મોટું યોગદાન આપ્યું છે. તેમણે ભારતની સ્વતંત્રતા, વિકાસ અને સમૃદ્ધિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. 30 જાન્યુઆરી, 1948ના રોજ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. ગાંધીજીના બલિદાનને યાદ કરવા અને તેનું સન્માન કરવા દર વર્ષે 30મી જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તે તમામ શહીદોને પણ યાદ કરવામાં આવે છે જેમણે દેશની આઝાદી માટે હસતા હસતા પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આજે બાપુના કારણે જ આપણે સૌ મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. ગાંધીજીના સરળ વ્યક્તિત્વ અને આધ્યાત્મિક જીવનએ માત્ર ભારતને જ નહીં પરંતુ વિશ્વને શાંતિ, અહિંસા અને સંવાદિતાનો માર્ગ બતાવ્યો.


શહીદ દિવસનો ઇતિહાસ


30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધી દિલ્હીના બિરલા ભવનમાં સાંજની પ્રાર્થના સભાને સંબોધવા જઈ રહ્યા હતા. તે જ સમયે, સાંજે લગભગ 5:17 વાગ્યે, તેમને નાથુરામ ગોડસેએ ગોળી મારી દીધી હતી. અહિંસાના પૂજારી ગાંધીજીના મૃત્યુ પછી, તેમની પુણ્યતિથિ (30 જાન્યુઆરી) દર વર્ષે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવી. શહીદ દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


કેવી રીતે મનાવાય છે શહીદ દિવસ?


30 જાન્યુઆરીએ શહીદ દિવસના અવસરે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, સંરક્ષણ મંત્રી અને ત્રણેય સેનાના વડાઓએ રાજઘાટ ખાતેની સમાધિ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. આર્મીના જવાનોએ પણ આ અવસર પર રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે તેમના શસ્ત્રો ઝુકાવ્યા હતા. આ ઉપરાંત દેશના તમામ શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવે છે. શાળાઓ, કોલેજો અને અન્ય સંસ્થાઓમાં મહાત્મા ગાંધીને લગતા અનેક પ્રકારના કાર્યક્રમો અને ભાષણોનું આયોજન કરવામાં આવે છે.


બાપુ આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના વિચારો આજે પણ આપણા  જનમાનસમાં ક્યાંકને ક્યાં ક જીવંત છે. ગાંધીજીનો સ્વચ્છતાનો મંત્ર આજે દરેકને પ્રેરણા આપી રહ્યો છે.. ભારત તેમના બલિદાનને હંમેશા યાદ રાખશે.