= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમરેલી ભાજપમાં વિખવાદ? ઉમેદવાર બદલવાની માંગના લાગ્યા પોસ્ટર એક બાજુ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી છે. ઠેર ઠેર રાજપૂત સમાજ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યો છે. તો બીજી તરફ અમરેલીમાં પણ ભાજપની મુશ્કેલી વધતી હોય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં અહીં પોસ્ટર લાગ્યાં છે. ધારીના દેવળા ગામે પોસ્ટર લાગ્યાં છે. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માગ સાથેના પોસ્ટર વોર જોવા મળી રહી છે.અહીંના ઉમેદવાર ભરત સુતરિયે બદવાના પોસ્ટર લાગ્યા છે. જો કે આ પોસ્ટર કોણે લગાવ્યા તે તપાસનો વિષય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું રાજકોટ લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાદાસ્પદ નિવેદથી નારાજ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત રાજીનામુ આપ્યુ છે.પરષોતમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ વિશેના વિવાદિત નિવેદનના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપી ગયો છે. રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ સતત વિરોધ કરી રહ્યા છે. વિરોધમાં ક્ષત્રિય મહિલા આગેવાન પણ મેદાને આવી છે અને રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા માટે માંગણી કરી રહી છે. તો બીજી તરફ આ તમામ વિવાદ વિરોધના વંટોળ વચ્ચે પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છું, રાજ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા જ ભાજપમાં મોટો ખડભડાટ જોવા મળી રહ્યો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેનનું શિક્ષિકા તરીકેનું VRS મંજૂર સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર શોભનાબેનનું શિક્ષિકા તરીકેનું VRS મંજૂર થઇ ગયું છે. ભાજપની ટિકિટ મળતા જ શોભનાબેને પ્રાથમિક શાળાના શિક્ષિકા તરીકે સ્વૈચ્છિક નિવૃતી માટે અરજી કરી હતી. 23 માર્ચે કરેલી અરજીને મંજૂરી મળી ગઇ છે. આ અરજી ગ્રાહ્ય રાખવામાં આવતા શોભનાબેનનું શિક્ષિકા તરીકેનું VRS મંજૂર થઇ ગયું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જયરાજસિંહના પડકારને પદ્મિનીબાએ કર્યો સ્વીકાર જયરાજસિંહના પડકારને પદ્મિનીબાએ સ્વીકાર કર્યો છે., તે જ્યાં હોય ત્યાં મળવા આવવાનો પડકાર ફેંક્યો છે. તેમણે વિવાદાસ્પદ નિવેદનના મુદ્દે કહ્યું કે શું રાજકીય લેવલે ગુનો કરવાનો હક્ છે? સમાજની બહેનો આક્રોશિત છે, તેમને ન્યાય મળવો જોઈએ, પદ્મિની બાએ કહ્યું હતું કે, આ કોઇ રાજકિય મુદ્દો નથી જયરાજસિંહ એકલા આ મુદ્દે નિર્ણય ન લઇ શકે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જયરાજસિંહના એકના નિવેદનથી ન થઈ શકે સમાધાન: પદ્મિની બા રૂપાલા સામેના વિવાદના સમાધાન મુદ્દે રાજકોટ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. તેમના આ મુદ્દે સખત વિરોધનો વીડિયો પણ વાયરલ થયો છે. તેમણે કહ્યું કે, જયરાજસિંહના એકના નિવેદનથી ન થઈ શકે સમાધાન, જયરાજસિંહ ન શેકે રાજકીય રોટલા.. રૂપાલાની ઉમેદવારી રદ કરવા PM મોદીને પદ્મિનીબાએ અપીલ કરી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડોદરા કોંગ્રેસમાં ગાબડું.. શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ ઉમંગ સોલંકીએ આપ્યું રાજીનામું લોકસભાની અને વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સતત ગાબડા પડી રહ્યાં છે.વડોદરા કોંગ્રેસમાં પણ ગાબડું પડ્યું છે. શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ ઉમંગ સોલંકીએ રાજીનામુ ધરી દીધું છે. યુવા કોંગ્રેસ મહામંત્રી સુભાષ કનોજીયાએ પણ રાજીનામુ આપ્યું છે. આગામી દિવસોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બનાસકાંઠાની રાજનીતિમાં પ્રસાદ પોલિટિક્સનો વકર્યો વિવાદ... બનાસકાંઠાની રાજનીતિમાં પ્રસાદ પોલિટિક્સનો વિવાદ વકર્યો છે. બનાસ ડેરીએ પશુપાલકોને વહેચેલા કાશી વિશ્વનાથના પ્રસાદને લઈને ડેરીના દુરઉપયોગનો ગેનીનેને આરોપ લગાવ્યો છે. ગેનીબેનના આરોપો મુદ્દે જાન્હવી ઠાકોરે પલટવાર કર્યો છે. , ગેનીબેન પ્રસાદનું અપમાન કરીને સમાજ અને પશુપાલકોને ગેરમાર્ગે. દોરે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમદાવાદ એયરપોર્ટ પર ટીમ તૈનાત લોકસભાની ચૂંટણીને લઈ ચાર્ટર્ડ ફ્લાઈટની અવર જવર પર ખાસ નજર રાખવામાં આવશે. અમદાવાદ એયરપોર્ટ પર ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે. વધુ પડતી રોકડ હશે તો તેવા મુસાફરોની સઘન પુછપરથ પણ કરવામા આવશે,
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રેખાબેન ચૌધરી આજે કૉંગ્રેસના ગઢ દાંતામાં ગજવશે સભા બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે કૉંગ્રેસના ગઢ સમાન દાંતામાં ચૂંટણી પ્રચાર કરશે. દાંતા તાલુકાના અલગ અલગ ગામડાઓમાં પ્રચારની સાથે સભા સંબોધશે. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર સામે પડકાર, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષમાંથી રાજીનામું આપ્યુ છે.2017માં થરાદ બેઠક પરથી ડી.ડી રાજપૂત ચૂંટણી લડયાં હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રદેશ કૉંગ્રેસ પ્રભારી વાસનિક આજે ગુજરાતમાં, આ મુદે થશે મંથન ગુજરાત કૉંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક આજે કૉંગ્રેસના જાહેર થયેલા લોકસભાના અને સંભવિત ઉમેદવારો સાથે બેઠક કરશે. બેઠકમાં તમામ જિલ્લાના પ્રમુખ અને અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.લોકસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શનમાં છે.પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મેરેથોન બેઠકનો દૌર ચાલી રહ્યો છેચ લોકસભાના જાહેર થયેલા અને સંભવિત ઉમેદવારોની બેઠક યોજાઇ રહી છે. જિલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખ, પ્રભારી ઉમેદવારો સાથે પહેલા સંયુક્ત બેઠક કરશે બાદમાં તમામ ઉમેદવારો સાથે વ્યક્તિગત બેઠક કરશે.બેઠકની અંદર પ્રચારની રણનીતિ, રણનીતિની અમલવારી અંગે ચર્ચા થશે.બુથ મેનેજમેન્ટ અને મતદાન કેન્દ્ર માટે કાર્યકરોની ગોઠવણ અંગે ચર્ચા થશે,
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આજે ગાંધીનગરમાં રૂપાલાનો વિરોધ, ચૂંટણી પંચને આપશે આવેદનપત્ર પરશોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં ગાંધીનગર જિલ્લાની તમામ રાજપૂત સંસ્થા વિરોધ નોંધાવશે. રાજપૂત સમાજના આગેવાનો આજે રૂપાલા વિરૂદ્ધ કલેક્ટર અને ચૂંટણી પંચને આવેદનપત્ર આપશે.રૂપાલાના નિવેદન મુદ્દે મળેલા ગોંડલના સંમેલનને કરણી સેનાએ રાજકીય સંમેલન ગણાવ્યું છે. રૂપાલા વિરૂદ્ધ આંદોલન યથાવત રાખવાનો અને ડબલ તાકાતથી ક્ષત્રિય સેનાને લડવા કરણી સેનાએ આહ્વાન કર્યું છે. ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ વિરભદ્રસિંહનો વીડિયો સંદેશમાં પણ રૂપાલાને બદલવા માગકરવામાં આવી છે. .
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સાબરકાંઠાના ઉમેદવારને લઈ ભાજપમાં ઉકળતો ચરૂ જેવી સ્થિતિ સાબરકાંઠાના ઉમેદવારને લઈ ભાજપમાં ઉકળતો ચરૂ જેવી સ્થિતિ છે. ત્યારે આંતરિક લાવારસને શાંત પાડવા CM ખુદ સક્રિય થયા છે,સાબરકાંઠામાં ડેમેજ કંટ્રોલને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી સહિતના હોદ્દેદારોને આજે ગાંધીનગરમાં હાજર રહેવા ટેલિફોનિક સૂચના અપાઇ છે.