મહેસાણાઃ કૉંગ્રેસ હજુ પણ તૂટવાનું નક્કી છે.  સૂત્રોના મતે મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાની સમિતિ અને ચૂંટાયેલા સભ્યો હજુ પણ તૂટી શકે છે. પાલિકા, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, વિવિધ સંસ્થાઓમાં ચૂંટાયેલા સભ્યો તથા પૂર્વ સભ્યો પણ કૉંગ્રેસને રામ રામ કરી શકે છે. મહેસાણા બાદ બનાસકાંઠામાં કૉંગ્રેસ તૂટવાનો દાવો કરાયો છે.  બનાસકાંઠાના વિવિધ તાલુકાના હોદ્દેદારો કૉંગ્રેસ છોડી શકે છે. હોદેદારોની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ કૉંગ્રેસ છોડી શકે છે.  જયરાજસિંહ પરમારની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદેદારો ભાજપમાં જોડાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે.


બીજી તરફ મહીસાગર જિલ્લા કોગ્રેસમાં ભંગાણ પડ્યું છે. લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલે  કૉંગ્રેસનો હાથ છોડી દીધો હતો એટલું જ નહીં, 21 ફેબ્રુઆરીના પોતાના ટેકેદારો સાથે કમલમમાં જઈ ભાજપનો ખેસ પહેરવાની પણ જાહેરાત કરી હતી. નારાજ હીરાભાઈના મતે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસે ટિકિટ આપવાની વાત કહી હતી.  આ માટે તેમણે તૈયારીઓ પણ કરી અને રેલીઓ યોજી હતી. જો કે, છેલ્લી ઘડીએ તેમનું પત્તું કપાયું અને ટિકિટ મળી નહોતી. જેને લઈ નારાજ હીરાભાઈએ કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. ભાજપમાં જોડાવાને લઈ હીરાભાઈએ કહ્યું. 'જાગ્યા ત્યારથી સવાર..'


 


Government Jobs: સરકારી નોકરીની સુવર્ણ તક, આ સરકારી વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી બહાર પડી


DRDO Recruitment 2022: DRDOમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી


Pegasus Spyware: પેગાસસ સોફ્ટવેર જાસૂસી કેવી રીતે પકડવામાં આવી? હવે આટલા મોટા રહસ્યનો પર્દાફાશ થયો છે


IT Jobs: સારા સમાચાર! IT કંપનીઓ માર્ચ સુધીમાં 3.6 લાખ નવી નોકરીઓ આપશે, જાણો કયા રિપોર્ટમાં થયો દાવો