મહેસાણાના કડીમાં હિટ એન્ડ રનની ઘટનાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના કડીના થોર રોડ પર 19 ફેબ્રુઆરીના રોજ સુરજી ઠાકોરનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા વાહનની ટક્કરે મોત થયાનું ખૂલતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ ઘટના હિટ એન્ડ રનની નહીં પણ હત્યાની છે. થોળ ગામના સુરજજી ઠાકોરને અનિલજી ઠાકોરની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. જેને લઈ અનિલજી ઠાકોરે સુરજજી ઠાકોરને વાહનથી ટક્કર મારી હત્યા કરી નાંખી હતી. સુરજજી ઠાકોર ચાલીને જતો હતો ત્યારે જીપની મદદથી અનિલજી ઠાકોરે ટક્કર મારી હતી અને ફરાર થઈ ગયો હતો. બનાવ હત્યાનો ખુલતા પોલીસે અનિલજી ઠાકોરની ધરપકડ કરી હતી.


Mehsana: પરિણીતાને ઘરની બારી ખુલ્લી હોવાના બહાને મકાન માલિકે બોલાવી ઘરમાં ને પછી....


Mehsana: મહેસાણાના કડીના પીરોજપુરા ગામમાં પરિણીતાની છેડતીની ઘટના બની છે. ભાડુઆત તરીકે રહેતી પરિણીતાને ઘરની બારી ખુલ્લી હોવાનું કહી છેડતી કરવામાં આવી હતી. પરિણીતાને બારી ખુલ્લી હોવાના બહાને બોલાવી મકાન માલિકે શારીરિક અડપલાં કર્યા હતા. હિતેશભાઈ પટેલ નામના શખ્સ સામે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


પતિએ મોબાઇલમાં જોયો અશ્લીલ વીડિયો, પછી પત્ની સાથે કર્યું એવું કે......


ડાયમંડ નગરી સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કતારગામ વિસ્તારની ધ્રુવતારક સોસાટીમાં અશ્લીલ વીડિયો પત્નીના મોતનું કારણ બન્યો. પતિ-પત્ની વચ્ચે ઘરેલું કંકાસમાં પતિએ પત્નીને જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવી હતી. પત્નીનું સારવારમાં મોત થયું હતું. કંકાસની રાત્રે દંપત્તિએ આઇસક્રીમ ખાધો હતો. સવારે ફરી કંકાસ શરૂ થતાં પતિએ પત્નીને ટર્પેન્ટાઈન જેવો જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી હતી.


મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી




 



કિશોર પટેલ અને કાજલ મિશ્રાના લગ્ન 10 મહિના પહેલા જ થયા હતા .કિશોર રત્નકલાકાર તરીકે નોકરી કરતો હતો. મૃતક કાજલ પટેલ મૂળ મુંબઈની રહેવાસી હતી. અશ્લીલ વીડિયો બંને વચ્ચે કંકાસનું કારણ બન્યા હતા. પતિ કિશોર રાત્રે મોબાઈલમાં અશ્લીલ વીડિયો જોતો હતો જેના કારણે ઝઘડો થયો હતો. ચોક બજાર પોલીસે કરી આરોપી પતિ કિશોરની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.  


10 મહિના પહેલા જ થયા હતા લગ્ન


કતારગામમાં ધ્રુવતારક સોસાયટી ખાતે રહેતા કાજલબેન કિશોરભાઇ પટેલ (25)ને ગઈકાલે બપોરે ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં પતિ કિશોર સ્મીમેર હોસ્પિટલ લઇ ગયો હતો. સ્મીમેરમાં પત્નીએ ખુદ ટર્પેન્ટાઈન છાંટ્યું હોવાનું પતિ કિશોરે લખાવ્યું હતું. જોકે, ચોકબજાર પોલીસે હોસ્પિટલ પહોંચી કાજલબેનનું નિવેદન લેતા ચોંકાવનારો ખુલાસો થયો હતો.  મૂળ મુંબઇની વતની કાજલે 10 માસ પહેલાં બનાસકાંઠા-પાલનપુરના કિશોર સાથે લગ્ન કર્યા હતા. પતિ-પત્ની વચ્ચે વારંવાર નાની-નાની બાબતે ઝઘડા થતા હતા. રિસાઇને કાજલબેન બે વખત પિયર પણ રહેવા ચાલ્યા ગયા હતા