બનાસકાંઠાઃ  કાંકરેજના પૂર્વ ધારાસભ્ય મગનસિહજી વાઘેલાની આજે અંતિમ યાત્રા નીકળી હતી. માજી ધારાસભ્યના નિધનથી કાંકરેજ સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શોકની લાગણી પ્રસરી. ગઈકાલે રાત્રે હૃદય રોગના હુમલાથી નિધન થયુ હતું. કાંકરેજ તાલુકામાં ભાજપ પક્ષમાંથી ૧૯૯૮માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. અંતિમયાત્રામાં સમાજના આગેવાનો, રાજકિય નેતાઓ સહિત અંતિમયાત્રામાં જોડાયા હતા. પૂર્વ ધારાસભ્યના નિધનથી કાંકરેજ તાલુકા રાજપૂત સમાજમાં સૌથી મોટી ખોટ પડી.


Porbandar : દરિયામાં ન્હાવા પડેલો પરિવાર તણાયો, બાળકના મોતથી માતમ


પોરબંદરઃ પોરબંદરના કુછડી ગામે દરિયામાં બાળક તણાવાની ઘટનામાં બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.  ગઈ કાલે કુછડીના દરિયામાં એક પરિવાર તણાયો હતો. જેમાં 5 સભ્યોનો બચાવ થયો હતો, જ્યારે 9 વર્ષનો બાળક ગરકાવ થયો હતો. દરિયામાં ગરક થયેલા ધ્રુવ ત્રિવેદી નામના બાળકનો 15 કલાકે મૃતદેહ મળ્યો છે. કુછડી નજીકના દરિયા કિનારેથી રાત્રી ના 2:30 કલાકે મૃતદેહ મળ્યો. પરિવારજનોમાં ભારે આક્રંદ છે.


ગાંધીનગરઃ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક મા ૧૧૧ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકામા પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આ પછી સુરેન્દ્રનગર જીલ્લાના દસાડામાં અને ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકામા અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. 


સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા અને ચૂડા તાલુકામા ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામા ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. અરવલ્લીના મોડાસામા પણ ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. અન્ય ૧૨ તાલુકાઓમા ૧ થી ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. 


નેઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચ્યું
















હિંમતનગર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે. હિંમતનગર શહેર ઉપરાંત હિંમતનગર ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છે. હિંમતનગરના ખેડ, ધનપુરા,જાબુંડી સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો છે. વરસાદને લઈ ખેડૂતો વાવેતરના આગોતરા આયોજનમાં જોતરાયા છે.