Farmer Mahapanchayat: ખેરાલુ અને સતલાસણા તાલુકામાં પાણી મુદ્દે મહાપંચાયત યોજાઈ હતી. ખેરાલુના વિઠોડા ગામે આ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. 40થી વધૂ ગામોના આગેવાનો અને ખેડુતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. પાણી નહિ તો મત નહિના નારા સાથે મહાપંચાયત યોજાઈ હતી. મહાપંચાયતમાં ખેરાલુથી ગાંધીનગર સૂધી ટેકટ્રર રેલી કરવાની જાહેરાત કરવામાં આવી છે. 5 જૂને 500 ટ્રેકટરો સાથે ખેડુતો ગાંધીનગર તરફ કૂચ કરશે. ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડુતો પાણી મુદ્દે લડી લેવાના મૂડમાં છે.



 


તો બીજી તરફ ખેરાલુ અને સતલાસણા તાલુકામાં સિંચાઇના પાણી મુદ્દે ખેડૂતો આજે બાઈક રેલી યોજશે. ગઈ રાત્રે ચાલીસ ગામના આગેવાનો દ્વારા મહાપંચાયત બોલાવ્યા બાદ આજે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઈક રેલી ખેરાલુ અને સતલાસણા તાલુકાના વિવિધ ગામોમાં ફરી ખેરાલુ મામલતદાર કચેરી ખાતે પહોંચશે.બાઈક રેલીમાં એક હજાર કરતાં વધુ બાઈક જોડાશે. પાણી મુદ્દે ખેરાલુથી ગાંધીનગર સુધીની પાંચ જૂનના રોજ ટ્રેક્ટર રેલી યોજવાની ખેડૂતોએ જાહેરાત કરી છે  સ્થાનિક તંત્રની મંજૂરી બાદ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.


જે દિવાલને છાંયડે પિતા-પુત્રી બેઠા હતા, તે જ દીવાલ તેમની માથે પડી, બંને પિતા-પુત્રીનું મૃત્યુ થયું


Ahmedabad: અમદાવાદમાં દિવાલને છાંયડે બેસેલા પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ ત્યાંની ઘટના સામે આવી છે. આ પિતા-પુત્રી ગરમીથી રાહત મેળવવા જે દિવાલને છાંયડે બેસેલા હતા એ જ દિવાલ તેમની માથે પડતા બંને પિતા-પુત્રીનું મૃત્યુ થયું  છે. અમદાવાદમાં અનુપમ બ્રિજ છેલ્લા કેટલાય વર્ષોથી બની રહ્યો છે,  ત્યારે આજે અનુપમ બ્રિજની બાજુમાં રોડની કામગીરી વખતે જેસીબીથી સલાટનગરની દિવાલ ધરાશાયી થઈ હતી. આ દીવાલ ધરાશાયી થતા દિવાલને છાંયડે બેસેલા પિતા-પુત્રીનું કરૂણ મૃત્યુ થયું છે. 


આજે 21  મે ના દિવસે બપોરના 03:41 વાગ્યે  આ ઘટના ઘટી. દિવાલ પડતા પિતા-પુત્રી દટાયા હતા. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ત્યાં સારવાર દરમિયાન પિતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું. એલજી હોસ્પિટલની મુલાકાતે આવેલા મેયર કિરીટ પરમાર તેમજ ધારાસભ્ય શૈલેષ પરમારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે. 


દિવાલ ધરાશાયી થવાની આ ઘટનામાં અમદાવાદ મહાનગરપાલિકા મૃતકના પરિવારને બિલ્ડર પાસેથી સહાય અપાવશે. મળતી જાણકારી મુજબ AMC રણજીત બિલ્ડકોન પાસેથી 5-5 લાખની સહાય અપાવશે.