હિંમતનગરઃ પ્રાંતિજ પોલીસને ૧૫ દિવસ પહેલા મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં યુવકની હત્યા કરવાનું સામે આવ્યું છે. આ હત્યા બીજા કોઈ નહીં, તેની પત્નીએ પ્રેમી સાથે મળીને કરી હોવાનો ખુલાસો થયો છે. હિંમતનગરના ગઢોડામાં પત્ની અને પ્રેમીએ માથામાં હથોડી મારી હત્યા કરી નાંખી હતી.


આ અંગેની વિગતો એવી છે કે, પતિ ઘરમાં સૂતો હતો, ત્યારે જ સુતેલા પતિની હથોડી મારી ગળું દબાવી દીધું હતું. હત્યા કર્યા બાદ પતિની લાશને ઘરમાં રાખી મૂકી હતી. આ પછી પ્રેમી અને પત્નીએ લાશને મોપેડ પર અંબાવાડા ગામની સીમમાં ખારી નદીમાં નાખી દીધી હતી.

પ્રેમીએ પ્રેમીકા સાથે મળીને હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો કારસો રચ્યો હતો. હત્યા કરી પ્રેમી-પત્ની બંને બિહાર નાસી ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મળેલી લાશમાં હત્યા થઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ તેજ કરી હત્યારા પ્રેમી-પત્નીને ઝડપી લીધા હતા.