ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 470 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 33 દર્દીઓના મોત થયા છે. તેમજ 409 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 21 હજારને પાર પહોંચી છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત સંખ્યા 21044 પર પહોંચી છે અને મૃત્યુઆંક 1313 પર પહોંચ્યો છે.
નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 331, સુરતમાં 62, વડોદરામાં 32, ગાંધીનગરમાં 8, મહેસાણા-1, ભાવનગર 3, બનાસકાંઠા 1, રાજકોટ 2, અરવલ્લી 1, સાબરકાંઠા 5, આણંદ 4, પંચમહાલ 3, પાટણ 3, કચ્છ 1, ખેડા 3, ભરૂચ 2, વલસાડા 2, જૂનાગઢ 1, નવસારી 1, અમરેલી 3 અને અન્ય રાજ્ય 1 કેસ નોંધાયો છે.