પાટણઃ જિલ્લાનાં સંડેર ગામના ખેડૂતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા હત્યા કરી લેતા આખા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે. ખેતીનો પાક નિષ્ફળ જતા ચિંતામાં ખેડૂતો આપઘાત કરી લીધો હતો. ખેતરમાં લીંબડાના ઝાડ પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. કપાસ અને દિવેલાના પાકોમાં નુકસાની જતાં જીવન ટૂંકાવ્યું છે.


આ અંગેની વિગતો એવી છે કે, સંડેર ગામના 45 વર્ષીય અશોકભાઈ ગંગારામભાઈ પટેલે બે દિવસ પહેલા આપઘાત કરી લીધો હતો. બાલીસણા પોલીસ મથકે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. બે દિવસ પૂર્વે બનેલ ઘટનાનો ગઈ કાલે અકસ્માતે ગુનો નોંધાયો છે.