અરવલ્લી જિલ્લાનાં ક્યાં શહેરોમાં 31 જુલાઈ સુધી બજારો બપોરે 2 વાગ્યા પછી બંધ રાખવા વેપારીઓએ લીધો નિર્ણય ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Jul 2020 12:07 PM (IST)
બાયડ , માલપુર , વડાગામ બાદ હવે સાઠંબા પણ બંધ પાળવામાં આવશે. કોરોનાના વધતા કેસોના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે.
બાયડઃ અરવલ્લી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વધતા કોરોનાના સંક્રમણને પગલે બાયડના સાઠંબામાં વેપારીઓ બપોર પછી દુકાનો સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બાયડ , માલપુર , વડાગામ બાદ હવે સાઠંબા પણ બંધ પાળવામાં આવશે. કોરોનાના વધતા કેસોના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી સાઠંબા ગામે બપોરે 2 વાગ્યા પછી બજારો બંધ રહેશે. 31 જુલાઈ સુધી સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલશે. નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અનેક શહેરોમાં વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ પાળી રહ્યા છે. પાટણ શહરેમાં પણ આજથી બપોરે 1 વાગ્યા પછી દુકાનો બંધ રાખવામાં આવશે. પાટણ શહેરની બજારો 22 જુલાઈથી 31 જુલાઈ સુધી બપોરે 1 પછી બજારો બંધ રાખવા પાલિકાએ નિર્ણય લીધો છે. પાટણમાં કોરોનાના કેસો વધતાં પાલિકા કડક બનશે. પાટણની જનતાને આવતીકાલથી બપોરે 1 પછી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. પાલિક ઉપપ્રમુખ લાલેશ ઠક્કર મીડિયા દ્વારા પાટણવાસીઓ ને આપી કડક સૂચના આપી છે. આવતી કાલે બપોરે 1 પછી વેપાર ધંધા બંધ નહીં રાખે તો કાર્યવાહી થશે.