ઉત્તર ગુજરાતના આ મોટા શહેરમાં આજથી બપોરે 1 પછી બજારો રહેશે સંપૂર્ણ બંધ, લોકોને પણ બહાર નહીં નિકળવા દેવાય
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Jul 2020 11:28 AM (IST)
22 જુલાઈથી 31 જુલાઈ સુધી બપોરે 1 પછી બજારો બંધ રાખવા પાલિકાએ નિર્ણય લીધો છે. પાટણમાં કોરોનાના કેસો વધતાં પાલિકા કડક બનશે.
પાટણઃ કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને આજથી પાટણ શહેરની બજારો સ્વયંભૂ બંધ રખાવવા પાલિકા સજ્જ થઈ છે. 22 જુલાઈથી 31 જુલાઈ સુધી બપોરે 1 પછી બજારો બંધ રાખવા પાલિકાએ નિર્ણય લીધો છે. પાટણમાં કોરોનાના કેસો વધતાં પાલિકા કડક બનશે. પાટણની જનતાને આજથી બપોરે 1 પછી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. પાલિક ઉપપ્રમુખ લાલેશ ઠક્કર મીડિયા દ્વારા પાટણવાસીઓ ને આપી કડક સૂચના આપી છે. આવતી કાલે બપોરે 1 પછી વેપાર ધંધા બંધ નહીં રાખે તો કાર્યવાહી થશે.