મહેસાણા: વિજાપુર તાલુકાની પામોલ ગામની દૂધ ઉત્પાદન સહકારી મંડળીની તારીખ 25 સપ્ટેમ્બરના દિવસે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે એક તરફ અશોક ચૌધરી પેનલના ઉમેદવારો છે તો બીજી તરફ વિપુલ ચૌધરીના સમર્થકની પેનલ છે. કુલ 570 સભાસદો આ ચૂંટણીમાં મતદાન કરશે. બંને તરફથી 22 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ત્યારે બંને પેનલના સભ્યો ઉમેદવારોને જીતાડવા રાજકીય કાવા દાવા કર્યા છે.


હવે આ કડીમાં પામોલ ગામના કેટલાક લોકો દૂધસાગર ડેરીના વિવિધ શાખામાં નોકરી કરે છે. આ નોકરી કરતા યુવાનોનો આરોપ છે કે ડેરીના અધિકારીઓ તેમને અશોક ચૌધરી પેનલના ઉમેદવારને મત આપવા માટે દબાણ કરે છે અને જો મત નહીં આપો તો નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી પણ આપે છે. નોકરી કરતા યુવાનોનું કહેવું છે સાગરદાણ ફેક્ટરીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા બે સુપરવાઇઝરો એ કહ્યું હતું કે અશોકભાઈ ચૌધરી પેનલના ઉમેદવારને મત આપી તે બેલેટ પેપરનો ફોટો પાડી અમને બતાવવું પડશે, નહીં તો નોકરીમાંથી ઘર ભેગા કરી દેશે. હવે આ સમગ્ર મામલે ગામના ત્રણ યુવાનોએ બંને સુપરવાઇઝરનો ઓડિયો બહાર પાડી પોતાનું નિવેદન આપ્યું છે.


મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના વધુ રિમાંડ ના મંજુર કર્યા


વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂરા થતાં વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. એસીબી દ્વારા વધુ 6 દિવસના રિમાન્ડની માગણી કરાઈ. જોકે,  વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.  વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની સરકારી વકીલની કોર્ટમાં રજુઆત. હજુ આ કેસમાં કંપનીઓની તપાસ બાકી હોવાની રજુઆત. વિપુલ ચૌધરીના રિમાન્ડ ના મંજૂર કરાતા અર્બુદા સેનાના કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટમાંથી બહાર આવતાં જ વિપુલ ચૌધરીએ બધાનું અભિવાદન કર્યું હતું. આ સમયે અર્બુદા સેનાના કાર્યકરોએ અર્બુદા માતાની જયના નારા લગાવ્યા હતા. 


વીસનગર અર્બુદા ધામ ખાતે  આજના ચૌધરી સમાજનું મહાસંમેલનનું આયોજન થયુ છે. સ્ટેજ પર ખાલી ખુરસી પર વિપુલ ચૌધરીની પાઘડી મૂકી.  વિપુલ ચૌધરીને સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ભાજપ ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવનાર ચૂંટણીમાં ભાજપમાંથી હટાવી પ્રકાશ પટેલને વીસનગરના ઉમેદવાર જાહેર કરે, તેવી માંગ ઉઠી છે. અર્બુદા ધામના મહંત ઝાખડઋષિએ નિવેદન આપ્યું છે. 


મહેસાણા અર્બુદા ધામખાતે આજણાં ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું છે. સંમેલન માં મોટી સંખ્યમાં ચોધરી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. અર્બુદા ધામાખાતે યોજાયેલ સભામાં આંજણા સમાજને એક કરવા અને વિપુલ ચૌધરી ને છોડવવમાં કરાયું આહ્વાન. અર્બુદાધામના મુખ્ય મહંત જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને છોડાવવા   ઉપવાસ કરવાની કરી જાહેરાત. પાંચ દિવસ માં નહિ છોડાય તો ગાંધીનગરમા આમરણ ઉપવાસ .