દાહોદઃ અમદાવાદ-ઈન્દોર હાઈવે ઉપર નાની સારશી ગામે યુવકની અગમ્ય કારણો સર હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. હાઇવે પર આવેલ એલ.પી.જી. પંપની સામે રસ્તાના ડિવાઈડર વચ્ચેથી યુવકની લાશ મળી આવી છે. યુવકની હથોડીના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનુ પ્રાથમિક અનુમાન છે.


હત્યા કરાયા બાદ યુવકની લાશને સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દાહોદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી. તેમજ તેની હત્યા કોણે અને કેમ કરવામાં આવી તે પણ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવી શકે છે.