Nitish Kumar Resign:બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે એટલે કે આજે  સવારે રાજભવન જઈને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને પોતાનું રાજીનામું સોંપશે અને આજે જ તેઓ  નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તેવી રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતૃત્વમાં સામેલ નેતાઓ આવી શકે છે.


મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે એટલે કે આજે રાજીનામું આપી શકે છે. જે બાદ નવા સહયોગીઓના સમર્થનના આધારે તેઓ નવમી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. આ પહેલા તેઓ આઠ વખત પદના શપથ લઈ ચૂક્યા છે.


અમિત શાહ શપથ ગ્રહણમાં હાજરી આપી શકે છે


સવારે 10 વાગે મુખ્યમંત્રી આવાસ પર ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી દિવસના 11 વાગે રાજભવન જાય તેવી શકયતા છે. ત્યાર બાદ શપથ ગ્રહણ સમારોહ યોજાશે.


શપથ ગ્રહણ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહી શકે છે. નીતિશના નેતૃત્વમાં રચાનારી આગામી સરકારને ભાજપના 78 સભ્યો, JDUના 45, હિન્દુસ્તાની અવમ મોરચાના ચાર અને એક અપક્ષ (કુલ 128)નું સમર્થન મળશે. 243 સભ્યોની બિહાર વિધાનસભામાં સાદી બહુમતી માટે 122 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે.


તેજસ્વી નીતીશ સાથે કાર્યક્રમમાં આવ્યા ન હતા


મુખ્યમંત્રી નીતિશ કુમાર પહેલાથી જ શનિવારે નિર્ધારિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. તેમણે બક્સર જિલ્લામાં સ્થિત બ્રહ્મેશ્વર સ્થાન મંદિરના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ ભાગ લેવાના હતા. તે ન ગયા. બક્સરથી પરત ફર્યા બાદ નીતિશે તે દિવસે વરિષ્ઠ સાથીદારો સાથે બેઠક યોજી હતી.


હમના ચાર ધારાસભ્યનું પણ સમર્થન


હિન્દુસ્તાની અવમ મોરચા વિધાન પક્ષની બેઠક પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં હાજર તમામ ચાર ધારાસભ્યોએ નીતિશ સરકારને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો.આ મોરચાના ચાર ધારાસભ્યો નીતિશની સાથે પહેલાથી જ હતા ત્યારે પણ હતા જ્યારે  તેમણે એનડીએ છોડીને મહાગઠબંધન સાથે સરકાર બનાવવાનો નિર્ણય લીધો હતો. બાદમાં મોરચાના ધારાસભ્યો સરકારથી અલગ થઈ ગયા હતા. માંઝીના જણાવ્યા અનુસાર, તે સમયે તેમના પર તેમની પાર્ટીને JDUમાં વિલય કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.