Coromandel Express Derail: ઓડિશાના બાલાસોરમાં એક-બે નહીં પરંતુ ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. જેમાં હાવડાથી ચેન્નાઈ જતી કોરોમંડલ એક્સપ્રેસ... યશવંતથી હાવડા સુધીની દુરંતો એક્સપ્રેસ બે હાઈપ્રોફાઈલ ટ્રેન અને એક લગેજ ટ્રેન છે.


શુક્રવારે (2 જૂન) સાંજે ઓડિશાના બાલાસોરમાં એક દર્દનાક ટ્રેન દુર્ઘટના બાદ, 233 લોકોએ જીવ ગુમાવ્યા અને 900 થી વધુ લોકો ઘાયલ થયા. આ સાથે ઓડિશા સરકારે શનિવારે તમામ કાર્યક્રમો રદ કરીને 1 દિવસના રાજકીય  શોકના  આદેશ આપ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીડિતોને વળતરની રકમની જાહેરાત કરી છે.


કોરોમંડલ એક્સપ્રેસ દુર્ઘટના કેવી રીતે થઈ તે તાત્કાલિક જાણી શકાયું નથી, પરંતુ મોડી રાત્રે ઓડિશા સરકારે સ્પષ્ટતા કરી હતી કે એક જ જગ્યાએ ત્રણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને ક્રેશ થઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ હતી.


ત્રણ ટ્રેન એકસાથે કેવી રીતે ટકરાઈ?


2 જૂનની સાંજે, જ્યારે બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ હાવડા તરફ જઈ રહી હતી, તે દરમિયાન ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા હતા અને પલટી  ગયા હતા. બીજી તરફ શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ આ એક્સપ્રેસના ડબ્બા સાથે અથડાઈ હતી. આ પછી, કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પણ સામેથી આવતી માલગાડીના ડબ્બા સાથે અથડાઈ ગયા હતા અને આ ગમખ્વાર  અકસ્માત બાલાસોર જિલ્લાના બહાના બજાર સ્ટેશન પાસે થયો હતો.


ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 233 પર પહોંચી ગયા બાદ અહીં રાતથી બચાવ કામગીરી ચાલી રહી છે. હોસ્પિટલોમાં  પણ મોટી સંખ્યામાં ઘાયલો દાખલ  છે. બીજી તરફ ઓડિશાના માહિતી અને જનસંપર્ક વિભાગે જણાવ્યું કે, મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસના રાજ્ય શોકનો આદેશ આપ્યો છે. આથી સમગ્ર રાજ્યમાં 3 જૂને કોઈ તહેવારની ઉજવણી કરવામાં આવશે નહીં.


ઓડિશાના બાલાસોરમાં, શુક્રવારે સાંજે જિલ્લાના બહનાગા રેલ્વે સ્ટેશન નજીક શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં પશ્ચિમ બંગાળની મમતા સરકાર ઘટનાસ્થળે છ સભ્યોની ટીમ મોકલી રહી છે. રાજ્ય સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વ્યક્તિગત રીતે મુખ્ય સચિવ એચકે દ્વિવેદીને અકસ્માત સ્થળ પર એક ટીમ મોકલવા અને મુસાફરી કરી રહેલા પશ્ચિમ બંગાળના લોકોને મદદ કરવા નિર્દેશ આપ્યા છે.