Odisha Train Accident News Live:PM મોદી બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળે જશે, ઘાયલોને પણ મળશે, અત્યાર સુધીમાં 288 લોકોનાં મોત

Coromandel Express Derails: ઓડિશાના બાલાસોરમાં, 2 જૂને સાંજે 7.30 વાગ્યે, 3 ટ્રેનોનો ભંયકર અકસ્માત સર્જાયો હતો. છેલ્લા 12 કલાકથી સતત બચાવ કામગીરી ચાલી રહી છે.

gujarati.abplive.com Last Updated: 03 Jun 2023 01:44 PM

બ્રેકગ્રાઉન્ડ

ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે (2 જૂન) સાંજે એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે હાવડા જતી 12864 બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ઘણા ડબ્બા બહંગા બજારમાં પાટા પરથી...More

ઓડિશાના બાલાસોરમાં ઘટનાસ્થળે પહોંચી મમતા બેનર્જી

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. અહીં મીડિયાને સંબોધતા તેમણે કહ્યું, "અમે ઓડિશા સરકાર સાથે સંકલનમાં કામ કરી રહ્યા છીએ. અમે ડૉક્ટરો અને એમ્બ્યુલન્સ મોકલી છે.  જેને જીવ ગુમાવ્યો તે પાછો નહીં આવે. હવે માત્ર ધાયલના જીવ બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.