Loksabha Election 2024 Live : વાયનાડથી રાહુલ ગાંધીએ નોંધાવી ઉમેદવારી, પ્રિયંકા ગાંધી સાથે કર્યો રોડ શો

લોકસભાની ચૂંટણીની તૈયારી વચ્ચે પરષોતમ રૂપાલાના નિવેદનનો વિરોધ શમવાનું નામ લેતો નથી. આણંદમાં તેમની ટિકિટ રદ્દ કરવાની માંગણી કરતા પોસ્ટર લાગ્યા છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 03 Apr 2024 03:57 PM
વાયનાડથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી

કેરળના વાયનાડથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે  લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવી છે. આ પહેલા તેમણે રોડ શો કર્યો હતો જેમાં કોંગ્રેસ મહાસચિવ અને તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે હાજર હતા.






રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણીમાં વાયનાડ બેઠક પર ચાર લાખથી વધુ મતોના જંગી અંતરથી જીત મેળવી હતી. પાર્ટીએ કહ્યું કે રાહુલ ગાંધી હેલિકોપ્ટર મારફતે વાયનાડના એક ગામમાં પહોંચ્યા હતા.  કોંગ્રેસે કહ્યું કે તેમણે પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ, દીપા દાસ, કન્હૈયા કુમાર સાથે રોડ શો કર્યો હતો. 

ક્ષત્રિય સમાજ માટેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપની ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક

પુરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ માટેના વિવાદિત નિવેદનના પગલે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ છે. ત્યારે ભાજપે ડેમજ કંટ્રોલ કરવાની કવાયત હાથ ધરી છે. આજે ભાજપના નેતા સાથે ક્ષત્રિય સમાજની બેઠક યોજાશે. જેમાં સમાજના અગ્રણીઓ અને ભાજપના 4 ક્ષત્રિય નેતા ઉપસ્થિત રહે છે.ભાજપના મુખ્ય 4 ક્ષત્રિય નેતાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. ભૂપેંદ્રસિંહ ચુડાસમા, કિરીટસિંહ રાણા,પ્રદીપસિંહ જાડેજા અને આઈ.કે.જાડેજા આ 4 ક્ષત્રિય ભાજપ નેતાની આગેવાનીમાં બેઠક યોજાશે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ  બપોરે ત્રણ વાગ્યે બેઠક યોજાશે આ પહેલા ગુપ્ત સ્થળે ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી. 

રૂપાલાને રાજ્ય ચૂંટણી આયોગની ક્લિનચીટ

સમગ્ર રાજ્યમાં ભાજપના નેતા અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને લઇને ક્ષત્રિય સમાજમાં વિરોધ છે, સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટને રદ્દ કરવાની માંગ કરી રહ્યો છે. થોડાક દિવસો પહેલા પરશોત્તમ રૂપાલાએ એક સંમેલન દરમિયાન ક્ષત્રિય સમાજની બહેનો ઉપર અભદ્ર ટિપ્પણી કરી હતી, આ પછી આખા ગુજરાતમાં રૂપાલા વિરૂદ્ધ રોષ ફેલાયો અને વિરોધ શરૂ થયો હતો, હવે આ મામલે ચૂંટણી પંચની એક્શન સામે આવી છે. પરશોત્તમ રૂપાલાને રાજ્ય ચૂંટણી પંચની ક્લિનચીટ મળી છે, ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન મામલે હવે રૂપાલાને ક્લિનચીટ મળી ગઇ છે. 

રૂપાલાના વિરોધમાં પદ્મીની બાએ અનશનનો લીધો નિર્ણય

રાજકોટ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ ઉપવાસ  પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. રૂપાલા સામે એક્શન ન લેવાઇ ત્યાં સુધી અન્નનો ત્યાગ કરાવનો નિર્ણય કર્યો છે.  જ્યાં સુધી પરસોતમ રૂપાલાની ટીકીટ રદ નહીં થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કર્યો છે. અમદાવાદ થનાર મિટીંગ વિશે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મને આ મીટિગમાં બોલાવા નથી આવી. મીટીંગ ક્ષત્રિય સમાજની વચ્ચે થવી જોઈએ..

-

રાજકોટમાં રૂપાલાના વિરોધમાં લાગ્યા પોસ્ટર, નયના બાએ કર્યો શાબ્દિક પ્રહાર

કોંગ્રેસના નેતા અને ક્ષત્રિય સમાજ અગ્રણી નયનાબા જાડેજા અને તેમની ટીમ રાજકોટમાં પોસ્ટર લગાવ્યા છે. ક્ષત્રિય સમાજની નારીના અપમાનજક નિવેદન બદલ તેમને ટિકિટ રદ્દ કરવા કોંગ્રેસ અને ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો  છે. રાજકોટમાં રાત્રિ દરમિયાન બસપોર્ટ સહિતના વિસ્તારમાં રૂપાલાના વિરોધમાં  પોસ્ટર લગાવાવમાં આવ્યા છે

અમિત શાહ આજે મુઝફ્ફરનગર અને મુરાદાબાદમાં સભા ગજવશે

લોકસભા ચૂંટણી 2024 લાઈવ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. હવે ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ યુપીમાં કાર્યભાર સંભાળશે. આજે તેઓ મુઝફ્ફરનગર અને મુરાદાબાદના પ્રવાસે જશે. ગૃહમંત્રી અમિત શાહ આજે મુઝફ્ફરનગરમાં જનસભાને સંબોધશે. આ રેલીમાં RLD પ્રમુખ જયંત ચૌધરી પણ ભાગ લેશે.

રાહુલ ગાંધી આજે વાયનાડથી ઉમેદવારી પત્ર ભરશે, પ્રયિંકા સાથે રહેશે

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે નેતાઓના તોફાની પ્રવાસોએ પણ રાજકીય પવનો તેજ કર્યા છે. દરમિયાન રાહુલ ગાંધી આજે વાયનાડથી ઉમેદવારી નોંધાવશે. તો બીજી તરફ  ભારતીય જનતા પાર્ટીના ગાઝિયાબાદથી લોકસભાના ઉમેદવાર અતુલ ગર્ગ આજે ઉમેદવારી નોંધાવશે. નોમિનેશન પહેલા એક બેઠક થશે, જેમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાજરી આપશે. સવારે 10 વાગ્યે હવન પૂજાનો કાર્યક્રમ યોજાશે, ત્યારબાદ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સવારે 11:30 વાગ્યે ગાઝિયાબાદના રામલીલા મેદાનમાં સભાને સંબોધિત કરશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજનો વધ્યો વિરોધ

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પરષોતમ રૂપાલાના વિરોધમાં જ સૂર ઉઠી રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે. મુળીના પરમાર ક્ષત્રિય સમાજે પણ  રૂપાલાના નિવેદનનો  વિરોધ કર્યો છે ને રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગણી કરી રહ્યાં છે.

આણંદ જિલ્લામાં પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ લાગ્યા બેનર

પરષોતમ રૂપાલાનો વિરોધ હજુ પણ યથાવત છે. આણંદના ઉમરેઠ તાલુકામાં રૂપાલા વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થઇ ગઇ છે. અહી અનેક જગ્યાએ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ કરતા પોસ્ટર જોવા મળી રહ્યાં છે.

પરષોતમ રૂપાલાનો વિરોધ યથાવત, ઠેર ઠેર લાગ્યા પોસ્ટર્સ

રાજકોટ લોકસભાના બેઠકના ઉમેદવાર પરષોતમ રૂપાલાના વિરોધમાં હજુ પણ પ્રદર્શન યથાવત  છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં ક્ષત્રિય સમાજના સંગઠન પરષોતમ રૂપાલાનો વિરોધ કરી રહ્યાં છે અને તેમની વિવાદાસ્પદ નિવેદન બદલ તેમની ટિકિટ રદ કરાવની માંગ પણ ઉઠી રહી છે.

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.
બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે.


 


રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.                                                     
 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.