PM Modi Speech Live: દેશ મણિપુરની સાથે, ત્યાં શાંતિનો સુરજ નીકળશે, રાહુલ ગાંધીના વાર પર Pm મોદીનો જવાબ
PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. વિપક્ષ મણિપુરના મુદ્દાને લઈને આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે.
gujarati.abplive.comLast Updated: 10 Aug 2023 07:23 PM

બ્રેકગ્રાઉન્ડ
No Confidence Motion Debate Live Updates:વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપી રહ્યાં . આ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સદનમાં મણિપુરને લઈને શાસક પક્ષ...More
No Confidence Motion Debate Live Updates:વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપી રહ્યાં . આ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સદનમાં મણિપુરને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.બુધાવર (9 ઓગસ્ટ)ના રોજ, કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લીધો હતો. મોદી અટક કેસમાં સાંસદ તરીકે પુનઃસ્થાપિત થયા બાદ ગૃહમાં રાહુલ ગાંધીનું આ પ્રથમ સંબોધન હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ પીએમ મોદીના મણિપુર ન જવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે વડાપ્રધાન મણિપુર એટલા માટે નથી ગયા કારણ કે તેઓ તેને ભારતનો હિસ્સો માનતા નથી. ભાજપે મણિપુરનું વિભાજન કર્યું છે.રાહુલ ગાંધીએ ગૃહમાં પીએમ મોદી અને અદાણીની તસવીરો બતાવી અને તેમની સરખામણી રાવણ સાથે કરી. રાહુલે કહ્યું, રાવણ માત્ર બે જ લોકોની વાત સાંભળતો હતો- મેઘનાદ અને કુંભકર્ણ, તેવી જ રીતે પીએમ મોદી પણ માત્ર અમિત શાહ અને અદાણીને જ સાંભળે છે.રાહુલ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, "તમે મણિપુરના લોકોને મારીને ભારતને માર્યું છે. તમે દેશદ્રોહી છો, તમે દેશભક્ત નથી. મારી માતા અહીં બેઠી છે. તમે મણિપુરમાં બીજી માતાની હત્યા કરી છે. હનુમાને લંકાની હત્યા કરી નથી." રાવણના ઘમંડથી લંકા બળી ગઈ. રામે રાવણને માર્યો નહીં પણ રાવણના ઘમંડે તેને મારી નાખ્યો. તમે આખા દેશમાં કેરોસીન રેડો છો. તમે આખા દેશને બાળવામાં વ્યસ્ત છો. તમે ભારત માતાની હત્યા કરો છો."રાહુલ ગાંધીના ભાષણના અંત બાદ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આકરા પ્રહારો કર્યા હતા. ઈરાનીએ કહ્યું હતું કે, જ્યારે રાહુલ ગાંધીએ ભારત માતાની હત્યાની વાત કરી ત્યારે વિપક્ષના સભ્યો તાળીઓ પાડી રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે રાહુલ ગાંધી પર સદનમાં ટાઇમ ફ્લાઇંગ કિસ આપવાનો આરોપ લગાવ્યો. બીજેપીની મહિલા સાંસદોએ 'ફ્લાઈંગ કિસ' અંગે સ્પીકરને ફરિયાદ કરી છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે,કોંગ્રેસે તો પૂર્વોત્તરનો વિશ્વાસ તોડ્યો છે
PM Modi Speech Live: કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ દેશને તોડવાનો રહ્યો છે. કોંગ્રેસે મિઝોરમમાં એરફોર્સ પર હુમલો કરાવ્યો, અકાલ તખ્ત પર પણ હુમલો કર્યો. આ હુમલો ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પૂર્વોત્તરનો વિશ્વાસ તોડ્યો છે.