જૂનાગઢઃ પાક નિષ્ફળ જતા ખેડૂતે કર્યો આપઘાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 May 2020 01:49 PM (IST)
પાક નિષ્ફળ જતા વૃદ્ધ ખેડૂતે પોતાની વાડીએ વીજપોલ ઉપર દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
જૂનાગઢઃ જિલ્લાના માળીયા હાટીનાના જલંધર ગામે ખેડૂતો આર્થિક સંકળામણને કારણે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. પાક નિષ્ફળ જતા વૃદ્ધ ખેડૂતે પોતાની વાડીએ વીજપોલ ઉપર દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. માળીયા હાટીના પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશને નીચે ઉતારી પીએમ માટે માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી છે.