New Governors Appointment News : 13 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરવામાં આવી છેય . કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર ગુલાબચંદ કટારિયાને આસામના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


રાષ્ટ્રપતિએ રવિવારે 13 રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂકની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર ગુલાબચંદ કટારિયાને આસામના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.  ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ સિવાય રાજેન્દ્ર વિશ્વનાથને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. લક્ષ્મણ પ્રસાદ આચાર્યને સિક્કિમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. સીપી રાધાકૃષ્ણને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો  શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ (નિવૃત્ત) એસ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


આ રાજ્યપાલોના બદલાયેલા રાજ્યો


મણિપુરના રાજ્યપાલ એલ ગણેશનને નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણને મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને બિહારના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બિસ્વ ભૂષણ હરિચંદનને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. છત્તીસગઢના રાજ્યપાલ અનુસુયા ઉઇકેની મણિપુરના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવ્યાં  છે.




મહારાષ્ટ્રના રાજ્યપાલનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે


આ સાથે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરીનું રાજીનામું સ્વીકારી લીધું છે. નોંધપાત્ર વાત એ છે કે ભગતસિંહ કોશ્યારી ત્યાં સતત વિવાદોમાં ફસાયા હતા. હાલમાં જ એક કાર્યક્રમમાં આપેલા તેમના નિવેદનને લઈને ઘણો હોબાળો થયો હતો. રાજ્યના તમામ રાજકીય પક્ષોએ તેમની આકરી ટીકા કરી હતી. આ પછી, આ પદ પર ચાલુ રાખવાની અનિચ્છા દર્શાવવાની સાથે, તેમણે કેન્દ્ર સરકારને પોતાનું રાજીનામું મોકલ્યું હતું, જેને કેન્દ્ર સરકારે સ્વીકાર્યું હતું અને તેમને પદ પરથી મુક્ત કર્યા હતા.


બીડી મિશ્રા લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા


આ સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી રાધા કૃષ્ણ માથુરનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમના સ્થાને, અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ, બ્રિગેડિયર (ડૉ.) બી.ડી. મિશ્રા (નિવૃત્ત)ને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.