મને ડિસ્ક્વાલિફાર્ઇ કરીને ડરાવી નહિ શકો, સવાલ પૂછતો રહીશ, સાંસદની સદસ્યતા રદ્દ થયા બાદ રાહુલ ગાંઘીનો જવાબ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'મોદી સરનેમ કેસ'માં બે વર્ષની સજા થયા બાદ તેમનું સંસદની સદસ્યતા પણ રદ કર્યાં બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનો પક્ષ મૂકતા પત્રકારોના પણ જવાબ આપ્યાં છે.
gujarati.abplive.comLast Updated: 25 Mar 2023 01:41 PM

બ્રેકગ્રાઉન્ડ
Rahul Gandhi PC:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'મોદી સરનેમ કેસ'માં બે વર્ષની સજા થયા બાદ તેમનું સંસદની સદસ્યતા પણ રદ કરી દેવાઇ છે. જો કે, તેની પાસે હજુ પણ ટોચની અદાલતોમાં...More
Rahul Gandhi PC:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'મોદી સરનેમ કેસ'માં બે વર્ષની સજા થયા બાદ તેમનું સંસદની સદસ્યતા પણ રદ કરી દેવાઇ છે. જો કે, તેની પાસે હજુ પણ ટોચની અદાલતોમાં અપીલ કરવાનો વિકલ્પ છે. અહીં રાહુલ ગાંધી આજે બપોરે કોંગ્રેસ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાનો પક્ષ રાખી રહ્યાં હતા.જાણીએ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે શું કહ્યું છે.દેશમાં લોકતંત્ર પર હુમલો:રાહુલ ગાંધીરાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. સંસદમાં મંત્રીઓએ મારી વિરુદ્ધ ખોટું બોલ્યા. મારા ભાષણોને સંસદમાંથી હટાવી દેવામાં આવ્યા. તેણે કહ્યું- હું પ્રશ્નો પૂછવાનું બંધ નહીં કરું. હું ડરતો નથી.
હું દેશ માટે લડતો રહીશઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ મને કાયમ માટે ગેરલાયક ઠેરવે તો પણ હું મારું કામ કરતો રહીશ. હું સંસદની અંદર હોઉં કે ન હોઉં તેનાથી મને કોઈ ફરક પડતો નથી. હું દેશ માટે લડતો રહીશ.