TRP Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડમાં 24 કલાકની પૂછપરછ બાદ 4 અધિકારીની ધરપકડ

હૃદયને હચમચાવી દેતી રાજકોની અગ્નિકાંડની ઘટનામાં તપાસનો દૌર તેજ બન્યો છે. 24 કલાકની પૂછપરછ બાદ 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે

Continues below advertisement

TRP Game Zone Fire:હૃદયને હચમચાવી દેતી રાજકોની અગ્નિકાંડની ઘટનામાં તપાસનો દૌર તેજ બન્યો છે. 24 કલાકની પૂછપરછ બાદ 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

Continues below advertisement

 હૃદયને વલોવી દેનાર રાજકોટ ટીઆરપી  ગેમ ઝોન આગની (TRP Game Zone Fire) ધટનાના પગલે હવે તંત્ર સફાળું જાગ્યું છે. સત્તાવાર રીતે સામે આવેલા આંકડા મુજબ ભીષણ આગમાં 27 લોકો જીવતા સળગ્યાની આ ઘટના બાદ જવાબદાર સામે પગલા લેવા એસઆઇટીએ તપાસ શરૂ કરી છે. 24 કલાકની પૂછપરછ બાદ 4 અધિકારીને ધરપકડ કરવામાં આવી છે.

ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપી મુકેશ મકવાણા,એટીપી ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ થઇ છે.  24 કલાકની પૂછપરછ બાદ ચારેય બેદરકાર અધિકારીઓની ક્રાઈમબ્રાન્ચે જેલ હવાલે કર્યો છે.  

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં અધિકારીઓ સહિત 10 આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. . જમીનના માલિકો, ગેમઝોનના સંચાલકો અને અધિકારીઓ સહિત 10 વિરૂદ્ધ આઈપીસીની અલગ અલગ કલમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.                                                                                                                                     

રાજકોટ મનપાના ટાઉન પ્લાનિંગ અધિકારી મનસુખ સાગઠીયા વિરૂદ્ધ એસીબીની તપાસ શરૂ કરી છે. ઈમબ્રાન્ચને સાથે રાખીને એસીબીની ટીમે સાગઠીયાની ઓફિસમાંથી તપાસ કરી અલગ અલગ દસ્તાવેજો જપ્ત કર્યાં છે.જવાબદાર અધિકારીઓ વિરૂદ્ધ એસીબીનું રાજકોટમાં મહા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ટીપીઓ મનસુખ સાગઠીયા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા, ચીફ ફાયર ઓફિસર ઈલિયાસ ખેર, રોહિત વિગોરા, મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ઓફિસ અને રહેણાંક મકાન પર એસીબીનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અલગ અલગ પાંચ ટીમો બનાવી એસીબીએ અગ્નિકાંડના તમામ આરોપી અધિકારીઓની ઓફિસ,મકાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.                                    

Continues below advertisement
Sponsored Links by Taboola