રાજકોટ:  છેલ્લા દિવસોથી એઈમ્સને લઈને ચર્ચાઓ ચલી રહી હતી ત્યારે રાજકોટને થોડા દિવસોમાં જ એઈમ્સ હોસ્પિટલ મળી જશે.આ નિવેદન આપ્યું છે કેંદ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ. આ મામલે કેંદ્ર સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે થોડા દિવસ અગાઉ એક બેઠક મળી હોવાનું મનસુખ માંડવીયાએ કહ્યું હતું. કેંદ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે રાજકોટને એઈમ્સ મળવાથી સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે.