રાજકોટઃ ગુજરાતમાં ઉત્તરાયણ પછી કોરોનાના કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે. જોકે, હજુ કોરોનાનું સંક્રમણ ચાલું જ છે, ત્યારે ભાજપના નેતા તેમજ પૂર્વ ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો છે. ગત રવિવારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આ નેતા સ્ટેજ પર પણ હાજર હતા, તેમજ અને લોકોના સંપર્કમાં પણ આવ્યા હતા.


આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી મનસુખ રામાણી અને પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતલિયા કોરોના સંક્રમિત થયા છે. નોંધનીય છે કે, ગત રવિવારે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સ્ટેજ પર મનસુખ રામાણી હાજર હતા. સી આર પાટીલ સહિત અનેક લોકોના સંપર્કમાં મનસુખ રામાણી આવ્યા છે.