રાજકોટ: રાજ્યમાં પહેલા લોકડાઉનની કળ વળી નથી ત્યાં ફરી લોકડાઉન જેવી સ્થિતિથી વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. રાજકોટ (Rajkot)માં પેઇન્ટ્સ એન્ડ હાર્ડવેર એસોસિએશન દ્વારા દુકાનો ખોલવાની મંજૂરી માટે જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.
એસોસિએશનની માંગ છે કે, રાજકોટમાં નિયમોને આધીન વેપારીઓને દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવે. રાજકોટમાં 225 જેટલા પેન્ટ્સ અને હાર્ડવેર ના વેપારીઓ છે. લોકડાઉન જેવી સ્થિતિના કારણે નાના વેપારીઓનો કફોડી સ્થિતિ થઇ છે. હાર્ડવેર અને કલર કામ સાથે જોડાયેલ મજૂરો કે કારીગરોની હાલત કફોડી થઈ છે. નાના લોકોનો પણ કારણે રોજગારી છીનવાઈ ગઈ છે. એવામાં સરકાર દિવસમાં અમુક કલાક માટે દુકાનો ખુલી રાખવાની મંજૂરી આપે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાની ગત થોડી મંદ પડી છે.કોરોનાના નવા કેસ ૧૧ હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે.નવા કેસોમાં મોટો વધારો નોંધાતો નથી.જ્યારે રીકવરી રેટ પણ હવે ૮૦ ટકાથી વધુ નોંધાયો છે અને દિવસેને દિવસે નવા કેસ સામે કોરોનામાંથી સાજા થનારા દર્દીની સંખ્યા વધી રહી છે જ્યારે મૃત્યુ આંક પણ સતત ઘટતા હવે ૧૦૦ની આસપાસ પહોંચી ગયો છે.