ડીવાયએસપી જે.એમ.ભરવાડને ફરાર જાહેર કરવામાં આવ્યા, જાણો શું છે મામલો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Oct 2019 07:53 PM (IST)
રાજકોટ જિલ્લાના જેતપુરમાં 8 લાખના લાંચ કેસ મામલે ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા ડીવાયએસપી જે.એમ. ભરવાડને સીઆરપીસી કલમ 82 મુજબ ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં 8 લાખના લાંચ કેસ મામલે ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા ડીવાયએસપી જે.એમ. ભરવાડને સીઆરપીસી કલમ 82 મુજબ ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આરોપીને માર ન મારવા અને પૂછપરછ ન કરવા 8 લાખની લાંચ માંગવામાં આવી હતી.આ મામલે એસીબીએ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. ડીવાયએસપી જે.એમ.ભરવાડ વતી કોન્સ્ટેબલ વિશાલ સોનારા દ્વારા લાંચની રકમ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો. હાલ તે જેલહવાલે છે. 3 ઓગસ્ટના રોજ એસીબી ટ્રેપ કરી હતી. જેમાં જે.એમ. ભરવાડે જામીન અરજી કરી હતી. જે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. બાદમાં અમદાવાદથી જે.એમ.ભરવાડની કાર પણ એસ.જી હાઈવે પરથી રેઢી મળી આવી હતી.