ગોંડલ: ટેકાના ભાવે ખરીદીમાં મગફળી 200 ગ્રામ વધુ જતી હોવાથી ખેડૂતોનો હોબાળો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Dec 2019 07:19 PM (IST)
ખેડૂતોએ બારદાનના વજનમાં ગોટાળો થતો હોવાનો આરોપ લગાવ્યો છે.
રાજકોટ: રાજકોટના ગોંડલ માર્કેટિંગયાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે. ટેકાના ભાવે ખરીદીમાં મગફળી 200 ગ્રામ વધુ જતી હોવાથી ખેડૂતોએ ખરીદી પ્રક્રિયા અટકાવી હતી. ખેડૂતોએ બારદાનના વજનમાં ગોટાળો થતો હોવાનો આરોપ લગાવ્યો છે. ખેડૂતોએ અધિકારીઓની હાજરીમાં બારદાનનું વજન કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓ આવી તાત્કાલિક સમસ્યાનું નિરાકારણ લાવવા ખેડૂતોએ માંગ કરી છે.