યુ. એન. મહેતા હોસ્પિટલના તબીબો સલાહ આપશે તો જ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં મતદાન કરવા જશે, તેવું જાણવા મળ્યું છે. જો મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન કરવા જશે તો કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી મતદાન કરવાની દેશમાં પહેલી ઘટના બનશે. કોરોનાની ગાઈનલાઈન પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન પી પી ઈ કીટ પહેરીને કરવું પડશે.
નોંધનીય છે કે, રાજ્યના સીએમ વિજય રૂપાણીની તબિયત સુઘારા પર છે. ગઈ કાલે બપોરે રેમિડિસિવિરનો ડોઝ પુર્ણ થયા છે. સીએમની તબીયતમાં જલ્દીથી સુધારો થઈ રહ્યો છે. જોકે તેમને ક્યારે રજા આપવી તે બાબતે યુએન મહેતા પ્રશાસન દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકોટમા મતદાન કરવા રજા આપવી કે કેમ તે યુનએન મહેતા પ્રશાસન દ્વાર સીએમઓ સાથે વાતચીત કર્યા પછી નિર્ણય લઈ શકે છે.