મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતી કાલે રાજકોટમાં મતદાન કરવા જશે કે નહીં? સામે આવ્યા સૌથી મોટા સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Feb 2021 02:19 PM (IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન કરીને કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી મતદાન કરવાની દેશમાં પહેલી ઘટના બનશે. કોરોનાની ગાઈનલાઈન પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન પી પી ઈ કીટ પહેરીને કરવું પડશે.
રાજકોટઃ આવતી કાલે 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું છે. રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પણ આવતી કાલે યોજાવાની છે, ત્યારે કોરોનાગ્રસ્ત થયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતી કાલે મતદાન કરવા જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના વોર્ડ નંબર-10ના બૂથ નંબર 2ના રૂમ નંબર 7માં મતદાન કરવા જશે. તેઓ નિયમ પ્રમાણે છેલ્લા એક કલાક દરમિયાન એટલે કે 5 વાગ્યે મતાન કરશે. તેઓ રાજકોટની અનિલ જ્ઞાનમંદિર સ્કૂલમાં મતદાન કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી મતદાન કરીને કોરોનાગ્રસ્ત મુખ્યમંત્રી મતદાન કરવાની દેશમાં પહેલી ઘટના બનશે. કોરોનાની ગાઈનલાઈન પ્રમાણે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન પી પી ઈ કીટ પહેરીને કરવું પડશે. નોંધનીય છે કે, રાજ્યના સીએમ વિજય રૂપાણીની તબિયત સુઘારા પર છે. ગઈ કાલે બપોરે રેમિડિસિવિરનો ડોઝ પુર્ણ થયા છે. સીએમની તબીયતમાં જલ્દીથી સુધારો થઈ રહ્યો છે. જોકે તેમને ક્યારે રજા આપવી તે બાબતે યુએન મહેતા પ્રશાસન દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી.