Police Transfer : રાજકોટ જિલ્લા પોલીસવડા દ્વારા આંતરિક બદલીઓ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના 11 PSIની આંતરિક બદલી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા બદલી ઓર્ડર કરવામાં આવ્યા છે. 


'ચૂંટણી નજીક આવે ત્યારે અરાજકતા ફેલાવવા માટેનો, હિંસા ફેલાવવા માટેનો તેમનો ભૂતકાળ પણ છે અને તેમનો સ્વભાવ પણ છે'


સુરત: આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા પર ગઈ કાલે હુમલો કરવામાં આવ્યો છે. સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આપ નેતા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મનોજ સોરઠીયા ઘાયલ થયા છે અને તેમને માથું લોહી લુહાણ થયું છે. આમ આદમીના ટ્વિટર હેન્ડલ પર દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલો ભાજપના લોકો દ્વારા કરવામાં આવ્યો છે.


આ મામલામાં  કાપોદ્રા પોલીસમાં 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. કલમ 323,324, 143,147,148,294ખ,304,506 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે.  કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ગુજરાત આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ લોકો પાસે મદદ માંગી છે અને તેમને સુરત આવવા આહ્વાન કર્યું છે. તેમણે ગુજરાત આપના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી એક વીડિયો મેસેજ મુક્યો છે.


હવે આ મુદ્દે ભાજપના નેતા અને સહપ્રક્તા ઋત્વિજ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ સાથે આપના નેતાઓએ ઘર્ષણ કર્યું. આપ આવા ત્રાગાઓ રચી ને ખોટી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરે છે. સુરતમાં ભાજપના કાર્યકરો છૂટાછવાયા ઊભા હતા, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આવ્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર હુમલો કર્યો. ત્યાર બાદ બંને ટોળા વચ્ચે ઘર્ષણ થયું અને ઇજાઓ પહોંચી. ભાજપના દિનેશભાઈ દેસાઇ, કિશનભાઈ દેસાઇ, કરશનભાઈ સાગઠિયા આ ત્રણને ગંભીર ઇજાઓ થઈ છે. ત્રણેય સુરતની પ્રેરણા હોસ્પિટલમાં દાખલ છે. 


તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટીનો આ સ્વભાવ રહ્યો છે. ચૂંટણી નજીક આવે ત્યારે અરાજકતા ફેલાવવા માટેનો, હિંસા ફેલાવવા માટેનો તેમનો ભૂતકાળ પણ છે અને તેમનો સ્વભાવ પણ છે. ત્યાર બાદ આવા ત્રાગા કરીને સિંપથી મેળવવા માટેનો અને રાજનીતિમાં, સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક પોતાની ઉપસ્થિતિને દર્જ કરાવવા માટેનો હંમેશા આમ આદમી પાર્ટી આ પ્રકારે દંભ કરતી હોય છે. આ જ આમ આદમી પાર્ટી છે, જે ભૂતકાળમાં દારૂ પીને કમલમ પર આવીને કમલમમાં મહિલા કાર્યકરોની છેડતી કરી છે. ત્યાં મારામારી કરી છે. ત્યાં અરાજકતા ફેલાવી છે. બાકી કાયદો કાયદાનું કામ કરશે. પરંતુ આવા કોઈ ત્રાગા ચાલવાના નથી. ગુજરાતની પ્રજા બરોબર આમ આદમી પાર્ટી અને અરાજકતા ફેલાવનાર અર્બન નક્સલવાદીઓને ઓળખે છે અને તેમની ગુજરાતમાં ક્યારેય સ્વીકૃતિ થવાની નથી.



આરોપી તરીકે ફરિયાદીએ નોંધાવેલ નામ 


1 દિનેશ દેસાઈ
2 ભરત ઘેલાની
3 કાંતિ સાનગઠિયા
4 ભાવેશ ઘેલાની
5 કિશન દેસાઈ
6 કલ્પેશ દેવાણી
7 મહેશ સાકરીયા
8 મહેન્દ્ર દેસાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ



 આ અંગે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિની વિરુદ્ધ છે અને જનતા તેને પસંદ નથી કરતી. હું ગુજરાતના સીએમને અપીલ કરું છું કે ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે અને દરેકની સુરક્ષા કરે.