રાજકોટઃ દિવાળી પહેલા જ એસ.ટી.ના કર્મચારીઓ હડતાળ પર જશે. આગામી 21 તારીખથી એસ.ટી ના કર્મચારીઓ હડતાળ પર જશે. એ.ટી.ના ત્રણેય યુનિયનના હોદેદારો દ્વારા સંકલન કરી માંગણીઓ સર્કસર સમક્ષ મુકવામાં આવી છે. રાજકોટના એસ.ટી. ડિવિજનમાં અનેક કર્મચારીઓએ માસ સી.એલ. મૂકી છે. 


20 તારીખે મધરાતથી ડ્રાઇવર, કંડક્ટર સહિતના કર્મચારીઓ એક સાથે માસ સી.એલ. પર ઉતરી જશે. એક સાથે તમામ કર્મચારીઓએ અધિકારીઓને રજાના રેપોર્ટ સુપ્રત કર્યા છે. ફિક્સ પગારદાર કર્મચારીઓના પગાર વધારા અને એસ.ટી.ના તમામ કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરવાની માંગ સાથે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.  


દિવાળીના તહેવારો પહેલા જ એસટીના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જશે. દિવાળી સમયે જ સૌથી વધુ મધ્યમ વર્ગના લોકો એસ.ટી.માં મુસાફરી કરે છે. કાયમી કર્મચારીઓને વર્ગ 4 માં ગણે છે, જ્યારે એસ.ટી વિભાગે માહિતી આપી છે કે વર્ગ 3 મા આવે છે. જેના કારણે ગ્રેડ 1400 થી 1600 થી જ ગ્રેડ પે મળે છે..1900 ગ્રેડ પેની માગ છે. ફિક્સ પેના કર્મચારીઓને માત્ર 16000 અપવામાં આવે છે. 19950ની માગ છે.


લોક રક્ષક ભરતી માટેની શારીરિક કસોટીને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે યોજાશે?
ગાંધીનગરઃ લોક રક્ષક ભરતી માટેની શારીરિક કસોટી આગામી 1 થી 10 ડિસેમ્બર વચ્ચે શરૂ થવાની સંભાવનાઓ છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી છે. 


અગાઉ આગામી ત્રણ મહિનામાં ગુજરાતમાં પોલીસ ભરતી કરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે હવે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષે મોટી જાહેરાત કરી છે.  તેમણે ટ્વીટ કર્યું હતું કે, લોકરક્ષક ભરતીની ટૂંકમાં જાહેરાત થશે. 31 માર્ચ 2021 પછી લાયક ઠરેલ ઉમેદવારોને પણ તક મળે તે હેતુથી પો.સ.ઇ ભરતી બોર્ડે તારીખ 20/10/21 અરજીઓ મંગાવેલ છે. https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d પર અરજી કરી શકાશે. લોકરક્ષક ભરતીની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.



ગુજરાતમાં આગામી દિવસોમાં શરૂ થનારી પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા હતા કે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પોસઈ) , લોક રક્ષક દળની ભરતી માટે એક જ શારીરિક કસોટી લેવાશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી યોજાશે. બંને માટે ફોર્મ ભરનાર ઉમેદવારોએ એક જ પરીક્ષા આપવાની રહેશે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે સોશિયલ મીડિયામા માહિતી આપી હતી. 


રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બને તે માટે કોવિડના કારણે પેન્ડીંગ રહેલ પોલીસ વિભાગની ભરતીની કાર્યવાહી ઝડ૫થી થાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરવાનો મહત્વનો નિર્ણય કરાયો છે, એમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ.  


ગૃહ રાજ્ય મંત્રી સંઘવીએ ગૃહ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં તા.૧૯.૯.ર૦ર૧ને રવિવારના રજાના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષશ્રીઓ સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમિક્ષા કરી હતી અને ભરતી પ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષોને જરૂરી આદેશો કર્યાં છે. 


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળ(માનદ)ની મળીને અંદાજીત ૨૭૮૪૭ જગ્યાઓ માટે ભરતીનુ આયોજન આગામી ૧૦૦ દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.  


રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય તે માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખુબ જ ટૂંકા સમયગાળામાં ભરતી પ્રક્રિયાનુ આયોજન કરીને યુવાઓને રોજગારી આપવા રાજ્ય સરકાર હરહંમેશા કટિબદ્ધ છે. આ નિર્ણયના ફળ સ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસ દળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપ્લબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસ સેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારના પગલાઓ વધુ બળવત્તર બનશે.