રાજકોટઃ જેતપુરના ખાખરીયા હનુમાન મંદિરના મહંતની હત્યા થતાં ખળભળાટ મચી ગયો છે. જેતપુરના દાસી જીવણ પરા વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાંથી લાશ મળી હતી. ગઈ કાલે દોરીથી હાથપગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહની તપાસ કરાઇ હતી. મૃતદેહ બીલખાના ચોરવડી પાસેના ખાખરીયા હનુમાન મંદીરના મહંત હોવાની ઓળખ થઈ હતી.


રાજકોટઃ હોટેલ નોવામાં થયેલી હત્યાના કેસમાં હવે મોટો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સવારે ૧૦-૩૦ વાગ્યે જ ધ્રુવાની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ સાંજના સમયે યુવકે એસિડ અને પાણી બહારથી મંગાવ્યા  હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક પહેલાથી જ તેની સાથે પ્લાસ્ટિકની લોકર પટ્ટી,બ્લેડ સહિતની ચીજવસ્તુઓ લાવ્યો હતો. હત્યા કર્યા બાદ તેને એસિડ પી આત્મહત્યાની કોશિશ કરી. એસિડ પીધા પછી તેને તેના ભાઇને જાણ કરી હતી. છેલ્લા બે વર્ષથી યુવક અને મૃતક એકબીજાના સંપર્કમાં હતા.


પોલીસે જણાવ્યું હતું કે, આ કપલ સવારે 9 વાગ્યે હોટલમાં ચેકઇન કર્યું હતું. કોઈ બાબતે એમને સંબંધ હશે, પણ કોઈ બાબતે પ્રશ્નો થયો. જેમાં યુવકે પેકેજિંગ કરવાની જે પટ્ટી સાથે લાગ્યો હતો, તેનાથી વિકટીમનું ગળું દબાવીને હત્યા કરી નાંખી છે. આ બનાવ સવારે 10થી 10.30 વાગ્યે બની ચૂક્યો છે. ત્યાર પછી આખો દિવસ આરોપી તેની સાથે રૂમમાં રહ્યો છે. આ પછી સાંજે છ વાગ્યાની આસપાસ એણે પોતે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. વિકટીમના ફાધરની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. તેમણે આધાર કાર્ડમાં તારીખમાં ફેરફાર મુદ્દે કહ્યું કે, બંનેએ પોતાના હાથે જ આધાર કાર્ડ હોટલમાં આવ્યા હતા. તપાસ પછી આગળની કાર્યવાહી કરાશે. જોકે, પોલીસે તેમની વચ્ચે પ્રેમસંબંધ હતો કે નહીં, તેમની વચ્ચે શારીરિક સંબંધો હતા કે નહીં, તે પીએમ પછી સામે આવશે, તેમ કહ્યું હતું. 


રાજકોટ હોટેલ નોવામાં યુવતીની હત્યા અને યુવકના આપઘાતનો મામલે હવે મૃતક ધ્રુવા જોષીના પિતા હિરેનભાઈ જોષીનું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે સવારથી જ ફોન બંધ આવતો હતો. સાંજ સુધી ઘરે ન આવતા અમે ફોન કર્યો હતો. ફોન કરતા જેનીશે ધ્રુવાની હત્યા કરી નાખી અને હું પણ આપઘાત કરું છું કહ્યું હતું. કરણપરા રોડ પર નોવા હોટલમાં હોવાનું ફોનમાં જણાવ્યું હતું. આ પગલું ભરવાનું કારણ કોઈ સ્પષ્ટ કહ્યું નહોતું. કોઈ પ્રેમ સંબંધ પણ હોઈ તેવી કોઈ દિવસ જાણ પણ કરી નહોતી. ફ્રેન્ડ સર્કલ હોવાની ચર્ચા થઈ પણ આવી કોઈ વાત અમારા ધ્યાને આવી નથી. અમારી માંગ છે કે, અમારી દીકરીની હત્યા કરનાર સામે કડક કાર્યવાહી થાય .