રાજકોટ: કોરોના વાયરસના સંક્રમણને લઈને ખૂબ જ લાંબા સમય બાદ રાજકોટ જિલ્લા માટે આનંદના સમાચાર સામે આવ્યા છે.  સમગ્ર રાજકોટ જિલ્લો કોરોના વાયરસથી મુક્ત થયો છે.  રાજકોટ જિલ્લામાં એક પણ કોરોનાનો એક્ટિવ કેસ નથી.  રાજકોટ જિલ્લાના 11 તાલુકા અને તેના ગ્રામ્ય વિસ્તારો કોરોનાથી સંપૂર્ણ મુક્ત થયા છે. 


ગુજરાતમાં કોરોના વાયરસના કેસ


ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 13  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 326  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 05 લોકો વેન્ટીલેટર પર છે.  321 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212513 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,941  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 દર્દીના મોત થયા છે. 


અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 5, દાહોદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે. 


 

આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહી


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી,  નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ,  પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા,  સુરત, સુરત કોર્પોરેશન,  સુરેન્દ્રનગર, તાપી, વડોદરા  અને વલસાડમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.


બીજી તરફ આજે 36 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.08  ટકાએ પહોંચ્યો છે. આજે 1,83,388 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ 99.08 ટકા છે. 


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 2043 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 17589 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1445 ને રસીનો પ્રથમ જ્યારે 8667 ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 9638 ને પ્રિકોશન ડોઝ, જ્યારે 12-14 વર્ષના તરૂણો પૈકી 144006 ને પ્રથમ ડોઝ અપાયો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,83,388 રસીના ડોઝ અપાયા હતા અને અત્યાર સુધીમાં કુલ 10,48,93,979 રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યાં છે.