રાજકોટ : જૂના મોરબી રોડ પર થયેલી હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં જ શહેર ક્રાઇમબ્રાન્ચ અને sogની ટીમ ઉકેલી નાંખ્યો છે. પરપ્રાંતીય દંપતીએ ગોવિંદભાઈ ચાવડા નામના વૃદ્ધની હત્યા કરી હોવાનું સામે આવ્યો છે. તે જ વિસ્તારના કોથળાના કારખાનામાં કામ કરતા અલીમહમદ છોટુઅલી સાંઇ અને તેની પત્ની નનકીબેગમે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.


મળતી વિગતો પ્રમાણે અલીમહમદ મૂળ યુપીનો રહેવાસી છે અને રાજકોટમાં રહીને કોથળાના કારખાનામાં મજૂરી કામ કામ કરતો હતો. આરોપીની પત્ની કુદરતી હાજતે જતી તે સમયે મૃતક જોતો હોવાની શંકાને લઈને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ દોરીથી ગળેટૂંપો દઈને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.