રાજકોટ :  કોરોનાના કેસ વધતા રાજકોટ પાન એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  પાન-મસાલાની દુકાનો શનિ- રવિ  સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેને લઈને ગામડાઓમાં સ્વેચ્છિક લોકડાઉન લગાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ સેલ્ફ લોકડાઉન લાદવામાં આવ્યું છે. 


નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો કોરોનાની સારવાર દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 62 ટકાના વધારા સાથે 20 હજાર 473 પર પહોંચી ગયો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44  ટકા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે  2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 



કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?



ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8,  રાજકોટમાં-2, રાજકોટ કોર્પોરેશન-2, વડોદરા કોર્પોરેશ-2, અમદાવાદ, અમેરલી, ભરૂચ,ભાવનગર, જામનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 દર્દીના મોત સાથે કુલ 35 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4655 પર પહોંચી ગયો છે.