Gondal, Ganesh, Gabbar! ગોંડલના રાજકીય અગ્રણીઓ પહોંચ્યા જયરાજસિંહ જાડેજાના ઘરે, કથીરિયા પરત ફર્યાનો ગણેશનો દાવો
Gondal, Ganesh, Gabbar: ગણેશ જાડેજા-અલ્પેશ કથીરિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વાક્યુદ્ધના કારણએ ગોંડલનું રાજકારણ ગરમાયું છે. આજે કથીરિયા સહિતના પાટીદાર આગેવાનો ગોંડલમાં પહોંચી રહ્યા છે.
gujarati.abplive.comLast Updated: 27 Apr 2025 01:01 PM

બ્રેકગ્રાઉન્ડ
Gondal, Ganesh, Gabbar: ગોંડલમાં ગણેશ જાડેજા-અલ્પેશ કથીરિયા વચ્ચે સોશલ મીડિયા પર વોર ચાલી રહી છે. ગણેશ જાડેજાએ આપેલા પડકારને અલ્પેશ કથીરિયાએ ઝીલ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું...More
Gondal, Ganesh, Gabbar: ગોંડલમાં ગણેશ જાડેજા-અલ્પેશ કથીરિયા વચ્ચે સોશલ મીડિયા પર વોર ચાલી રહી છે. ગણેશ જાડેજાએ આપેલા પડકારને અલ્પેશ કથીરિયાએ ઝીલ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે છે કે.” "ગોંડલ કરો... સ્વાગતની તૈયારી...” જે બાદ આજે કથિરીયા સહિતના આગેવાનો ગોંડલ પહોંચવાના છે.ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલાં સુલતાનપુરમાં યોજાયેલી એક સભામાં ગણેશ ગોંડલે એવું કહ્યું હતું કે, માનું ધાવણ ધાવ્યાં હો તો આવી જાઓ મેદાનમાં. જેના સંદર્ભમાં જ વળતો જવાબ આપતા અલ્પેશ કથીરિયાએ આ પોસ્ટ કરી હતી. તેમણે ગણેશ જાડેજાએ ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે આ પોસ્ટ દ્વારા ગોંડલ આવવાની અને આખો દિવસ ફરવાની વાત કરી છે. તેમણે કહ્યું કે આ દરમિયાન અમે તપાસ કરીશું કે આખરે ગોંડલમાં કેવો માહોલ છે? તો બીજી તરફ આ પોસ્ટનો જવાબ આપતા સામે ગણેશ જાડેજાએ લખ્યું કે, “ગોંડલને બદનામ કરનારનું સ્વાગત કરવા ગોંડલની અઢારેય વરણની જનતા તૈયાર છે, જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા જનતા તૈયાર છે. આ રીતે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વાકયુધ્ધ ચાલી રહ્યો છે, જેના કારણે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. છેલ્લા કેટલાક સમયથી પાટીદાર અને જાડેજા જુથ વચ્ચે વાદ વિવાદ ચાલી રહ્યાં છે. બંને વચ્ચે વાક્યુદ્ધ અન પોસ્ટર વોરના કારણએ ગોંડલનું રાજકારણ પણ ગરમાયુ છે. બંનેના સમર્થકોની પોસ્ટર પણ લાગેલા જોવા મળી રહ્યાં છે. બંને વચ્ચેની સ્થિતિના કારણએ આગામી મી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકારણ ગરમાય તેવી પૂરેપૂરી સંભાવના છે.ઉલ્લેખનિય છે કે,ઉલ્લેખનિય છે કે, ગોંડલ ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ગત રવિવારે ગોંડલમાં સમાજ હિત માટે લડનારા વિનું શિંગાળાની પ્રતિમા સ્થાપવા મુદ્દે અગ્રણીની બેઠક મળી હતી આ સમયે એક અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને મેહુલ બોઘરાએ પાટીદાર જુથને એકજૂટ થવા આહવાન કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, ગોંડલમાં 80 ટકા પાટીદારની વસ્તી હોવા છતાં છેલ્લા ત્રણ દાયકાથી પાટીદારનો ધારાસભ્ય નથી આવી શક્યા તે શરમજનક છે.
ગોંડલમાં 2027ની ચૂંટણીમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં-જયરાજસિંહ જાડેજા
સુરતના અગ્રણીઓના આક્ષેપો બાદ પ્રથમ વખત જયરાજસિંહ જાડેજા મીડિયા સમક્ષ આવ્યા હતા. જયરાજસિંહ જાડેજા અને ગીતાબા જાડેજા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, બહારથી આવેલા લોકો ગોંડલમાં બદનામ કરી રહ્યા છે. ગોંડલમાં પાટીદાર સમાજ કોઈ ભયમાં છે જ નહીં. ગોંડલના તમામ પાટીદારો અમારી સાથે છે કોઈ જ ભય નથી. ગોંડલમાં 2027 ની ચૂંટણીમાં વરરાજા બનીને આવો,અણવર બનીને નહીં. ટિકિટ આપવાનું કામ હાઈ-કમાન્ડનું છે મારું નથી. આ બાબતે હાઈકમાન્ડને હું ગંભીરતાપૂર્વક રજૂઆત કરીશ. ગોંડલના પાટીદાર અગ્રણીઓ અને પાટીદાર સમાજ મારી સાથે છે.