રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોના વકરી રહ્યો છે. રાજકોટમાં કોરોનાના કેસો સતત વધતા તંત્ર પણ ચિંતામાં પડી ગયું છે. આ બધાની વચ્ચે કોરોનાના 23 જેટલા દર્દીઓને જાહેરમાં જ બસમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.


વાત એવી છે કે, રાજકોટમાં કેદીઓ માટે બનાવેલ કોવિડ સેન્ટર ફૂલ થતાં તંત્ર મુંજવણમાં મુકાયું છે. કોવિડ સેન્ટર ફૂલ હોય કોવિડ સેન્ટર બહાર બસમાં બેસાડીને સારવાર આપવામાં આવી રહી છે. 23 જેટલા સક્રમિતને જાહેરમાં બસમાં બેસાડવામાં આવ્યા છે.