બીજી તરફ રાજકોટ સેન્ટ્રલ મધ્યસ્થ જેલમાં પણ કોરોના વિસ્ફોટ થયો છે અને એકસાથે 23 કેદીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામકેદીના ગઈ કાલે રાત્રે રિપોર્ટ પોઝિટિવ આવતાં તમામ કેદીને આઇસોલેટ કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. આ આ ઉપરાંત આ કેદીઓના સંપર્કમાં આવેલા પોઝિટિવ દર્દીઓનું પણ કોન્ટેક ટ્રેસિંગ શરૂ કરાયું છે.
રાજ્યમાં આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજકોટમાં અત્યાર સુધી કોરોનાના કુલ 3177 કેસ સામે આવ્યા છે, જેમાંથી 65 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યું છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા શનિવારના આંકડા અનુસાર, ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 77,663 પર પહોંચી છે અને મૃત્યુઆંક 2767 પર પહોંચ્યો છે. જ્યારે 60,537 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.