Rajkot News:  હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આજે શ્રાવણનો બીજો સોમવાર છે. શ્રાવણ મહિના દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ ઉપવાસ કરતા હોય છે. શ્રાવણ મહિના ઉપવાસ દરમિયાન ઘણા લોકો ફરાળ કરતા હોય છે. આ દરમિયાન રાજકોટમાં ફરાળ કરતાં લોકોના ઉપવાસને તોડવાનું ષડયંત્ર ઝડપાયું છે.


રાજકોટના જલારામ ચોકમાં પેટીસ બનાવતાં યુનિટ પર આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવતું યુનિટ ઝડપાયું છે. સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પેટીસ બનાવવામાં આવે છે. સ્થળ પરથી મકાઈના લોટના બરદાન મળી આવ્યા હતા.





શ્રાવણના બીજા સોમવારે કરી લો આ એક ઉપાય, શીઘ્ર થશે મનોકામનાની પૂર્તિ


ભગવાન શિવની ઉપાસના માટે શ્રાવણના  સોમવાર સૌથી યોગ્ય માનવામાં આવે છે. શિવ સર્વ દુ:ખોનો નાશ કરનાર છે, તેથી જ તેમને હર હર મહાદેવ કહેવામાં આવે છે. શ્રાવણ સોમવારમાં , જેઓ નિયમ અને ભક્તિ સાથે ઉપવાસ અને પૂજા કરે છે, ભગવાન ભોલેનાથ ચોક્કસપણે તેમના કષ્ટો દૂર કરે છે. પંચાંગ અનુસાર, 8 ઓગસ્ટ 2022ના રોજ શ્રાવણનો બીજો સોમવાર છે. આ દિવસે એક નહીં પરંતુ અનેક એવા શુભ સંયોગો બનવાના છે જે આ દિવસનું ધાર્મિક મહત્વ વધારી રહ્યા છે. ચાલો જાણીએ આ દિવસે શું છે ખાસ
 સોમવાર શ્રાવણની એકાદશી એટલે કે શ્રાવણ માસની શુક્લ પક્ષની તિથિ છે. આ એકાદશીને પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે બાળકો માટે વ્રત રાખીને  તેની ભગવાન વિષ્ણુ પાસેથી પ્રગતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. એટલે કે આ દિવસે ભગવાન શિવની સાથે વિષ્ણુની પૂજાનો પણ સંપૂર્ણ સમન્વય થાય છે.


શ્રાવણના સોમવારે કરો આ ઉપાય 


આમ તો મહાદેવ માત્ર જળના અભિષેકથી પણ પ્રસન્ન થઇ જાય છે પરંતુ શ્રાવણના સોમવારે જો મહાદેવને પૂજન અભિષેક સાથે બે કોઇ પણ અલગ અલગ બે ફળ અર્પણ કરવામાં આવે તો શીઘ્ર આપને પણ આપના કાર્યનું ફળ મળે છે અને કાર્યસિદ્ધિના આશિર્વાદ પ્રાપ્ત થાયછે. ગંગાજળનો અભિષક કરવાથી પણ મનના મનોરથને પૂર્ણ કરવામાં મહાદેવના આશિષ મળે છે. કામનાની પૂર્તિ માટે શ્રાવણ માસમાં સોમવારે ઓમ નમ: શિવાયના જાપ અવશ્ય કરવા.