Rajkot Accident News: રાજકોટમાં અકસ્માતનો (accidnets in Rajkot) સિલસિલો વણથંભ્યો છે. રાજકોટમાં મવડી ચોકડી (mavdi chokdi Rajkot) પાસે બેફામ કાર ચાલકે (car driver) અકસ્માત સર્જ્યો છે. બે બાઇકમાં સવાર ત્રણ લોકોને કાર ચાલકે અડફેટે લીધા હતા. ઓવર સ્પીડે (overspeed) આવતી કાર વીજપોલ સાથે અથડાઈ હતી. વીજપોલ ધરાશાયી થતાં વીજ લાઇન બંધ કરવી પડી હતી. માલવિયાનગર પોલીસે કાર ચાલક અર્જુનસિંહ ઝાલાની અટકાયત કરી હતી. કાર ચાલક નશાની હાલતમાં છે કે નહીં તે અંગે પોલીસ બ્લડ સેમ્પલ લેવડાવશે. જાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


રાજકોટના  મવડી ચોકમાં મંગળવારે રાત્રીના પૂરપાટ ઝડપે નીકળેલી કારે બે બાઇકને ઉલાળ્યા હતા. મવડી ચોકડી પાસેના સિદ્ધિ આઇકોનમાં રહેતા પ્રફુલભાઇ મગનભાઇ નામના 50 વર્ષના પ્રૌઢ બાઇક ચલાવીને જતા હતા અને મવડી ચોકડી નજીક સંજીવની હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા ત્યારે એક કાર ચાલકે આવી ટક્કર મારી હતી. જેના કારણે તેઓ બીજી બાઇક સાથે ટકરાયા હતા.


અમદાવાદના રખિયાલમાં એકવલાયું જીવન જીવતી વૃદ્ધાને પડોશીએ ચાકુના ઘા મારીને હત્યા કરી હતી. પોલીસ તપાસમાં પડોશમાં રહેતો શખ્સ વૃદ્ધાના મીટરમાંથી લાઇટ વાપરતો હતો આરોપી લાઈટ બીલના રૃપિયા નહી આપતા બને વચ્ચે ઝઘડો થયો હતો આરોપીને મૃતકના ભાઇએ માર માર્યો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઇએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.


રખિયાલમાં રહેતા આધેડે રખિયાલ પોલીસ સ્ટેશનમાં રખિયાલ સંજયનગર છાપરામાં રહેતા સઇદમોહંમદ શેખ સામે ફરિયાદ નોંધાવી છે કે  તેમના 70 વર્ષના મોટા બહેન  એકલા રહેતા હતા. આજે સવારે  તેમના બહેનની પાડોશમાં રહેતો શખ્સ તેમના ઘરે આવ્યો અને કહ્યું કે તમારી બહેનને પડોશમાં રહેતો સઈદમોહંમદ શેખે તમારી બહેનને ચાકુના ઘા મારી દીધા છે. જેથી ફરિયાદી તુરંત તેઓ તેમની બહેનના ઘરે પહોંચી ગયા હતા. ત્યારે તેમના બહેન લોહી લુહાણ હાલતમાં પડેલા હતા.બીજીતરફ આરોપી ત્યાં ચાકુ લઇને ઉભો હતો જેથી તેના હાથમાંથી ચાકુ લઈને નીચે ફેંકી દીધું અને તેને માર માર્યો હતો.


આ સમયે આસપાસના લોકો ભેગા થઈ ગયા અને આરોપીને વધુ મારથી બચાવી લીધો હતો. ત્યારબાદ પડોશીએ સારવાર માટે 108ને ફોન કરતા ઘટના સ્થળે પહોચેલી 108ની ટીમે તપાસીને વૃદ્ધાને મરણ જાહેર કરી હતી. આસપાસના લોકોને પૂછતા જાણવા મળ્યુ કે આરોપીએ તેમની બહેનના મીટરમાંથી લાઇટ મેળવી હતી. જે લાઇટ બીલના રૃપિયા ભરવા બાબતે ઝઘડો થતા શખ્સે ચાકુના ઘા મારીને હત્યા કરી હતી. આ ઘટના અંગે રખિયાલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.