Rajkot: રાજકોટમાં પીજીવીસીએલની કામગીરી પર સવાલો ઉભા થયા છે, ચોમાસાને માત્ર ગણતરીના દિવસો બાકી રહી ગયા છે, છતાં પણ શહેરમાં PGVCL વાયરોને યોગ્ય રીતે ગોઠવી નથી શકતી, આ વાતને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 


નોંધનીય છે કે, ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, છતાં પણ PGVCLની પ્રી મૉનસુન કામગીરી કાગળ પર જ જોવા મળી રહી છે. પીજીવીસીએલ દ્વારા કે મનપા ગાર્ડન શાખા દ્વારા શહેરમાં હજુ પણ અલગ અલગ જગ્યાએ વૃક્ષોનું સ્ટ્રીમિંગ કરવામાં નથી આવ્યુ. દર વર્ષે શહેરમાં અનેક રાજમાર્ગો પર વૃક્ષો અને ડાળીઓ પડી જાય છે, અને આ કારણે લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચે છે, અને ચોમાસામાં રસ્તોઓ પણ બંધ થઇ જાય છે. તો મોતના માચડા સમાન આ કેટલાય વૃક્ષોમાંથી આ PGVCLના વાયરો પસાર થાય છે, એવી ડાળીઓને ક્યારે દુર કરાશે તેની લોકો રાહ જોઇ રહ્યાં છે. એટલુ જ નહીં લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, PGVCL અંડર ગ્રાઉન્ડ વાયરીંગ કરે અને દર વર્ષે હજારો વૃક્ષો કપાતા બચાવે. પીજીવીસીએલ દ્વારા દર વર્ષે વૃક્ષો અને તેની ડાળીઓ કાપવામાં આવે જેના પર શહેરની ગ્રીનરીને પણ અસર પહોંચે છે.


 


Rajkot: જમીન માપણી મુદ્દો ગરમાયો, રાઘવજી પટેલે બેઠક કરી અધિકારીઓને ખખડાવ્યા


Rajkot: રાજકોટમાં ફરી એકવાર જમીન માપણીનો મુદ્દો ગરમાયો છે, જમીન માપણી મુદ્દે શહેરમાં એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં રાઘવજી પટેલે અધિકારીઓને ખખડાવી દીધા હતા. 


રાજકોટમાં જમીન માપણી મુદ્દે પ્રભારી મંત્રી રાધવજી પટેલની ઉપસ્થિતમાં કલેકટર કચેરીમાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં જમીન માપણી મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો, આ બેઠકમાં આ બેઠક પ્રભારી મંત્રી રાઘવજીએ DILRના અધિકારીઓ ખખડાવી નાંખ્યા હતા, અને કહ્યું હતુ કે, જમીન માપણીની ફરિયાદ અંગે કોઇપણ અધિકારીએ ઉડાઉ જવાબ ના આપવા જોઇએ, પરંતુ તેના પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઇએ. જમીન માપણી પ્રત્યે ખેડૂતો સંવેદનશીલ હોય છે. આવા મુદ્દાઓને શાંતિથી સાંભળો અને બને તેટલો જલદી પ્રશ્નનો નિકાલ કરો.