રાજકોટઃ આજે શિક્ષણ મંત્રી જીતુ વાધાણીની જન આશીર્વાદ યાત્રા રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં નીકળી હતી. આજે સવારે 9/30માધાપર ચોકડી થી આ જન આશીર્વાદ યાત્રાનો  પ્રારંભ થયો હતો.રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આશીર્વાદ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ CM વિજય રૂપાણીના વિધાનસભા વિસ્તારમાં આ યાત્રા ફરી હતી. આ સમયે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, જનતાના આશીર્વાદ અમને મળતો રહશે.2022 માં પણ અમને આશિર્વાદ મળશે. યાત્રામાં સાંસદ મોહનભાઇ કુડારિયા, રામભાઈ મોકરિયા ઉપસ્થિત રહ્યા હતા. પેટ્રોલના ભાવ વધારા વિશે પત્રકારોએ જીતુભાઇ વાઘાણીને પૂછતાં વાઘાણી ચાલતી પકડી હતી. ઉલ્લેખનિય છે કે જીતુભાઈ વાઘાણી રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે. રાજકોટ શહેર અને જિલ્લાના પ્રશ્નો માટે ખાસ અધિકારીની નિમણૂક કરાશે. આ અધિકારી માત્ર રાજકોટના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે દેખરેખ રાખશે.






ગુજરાતમાં કોરોના સંક્રમણ ધીમું પડતા ધીમે ધીમે છૂટછાટ વધારવામાં આવી રહી છે. આ સાથે સ્કૂલો પણ એક પછી એક ખોલવામાં આવી રહી છે. ત્યારે ગઈ કાલે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે સ્કૂલ ફી અને ધોરણ 1થી 5ની સ્કૂલો ખોલવા મુદ્દે નિવેદન આપ્યું હતું. સૂત્રોના મતે દિવાળી પહેલા શાળાઓ શરૂ કરવાની રાજ્ય સરકારની તૈયારી છે.

રાજકોટ ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સચિવ અને આરોગ્ય વિભાગ તથા મનોચિકિત્સકને સાથે રાખીને કમિટીની રચના કરશે. કમિટીના રિપોર્ટ બાદ શાળાઓ શરૂ કરવાને લઇને નિર્ણય લેવાશે. જોકે, ફીના મુદ્દે શિક્ષણ મંત્રી અજાણ હોવાના દ્રશ્યો ઉભા થયા હતા. એબીપી અસ્મિતા વાઘાણી પૂછ્યું ફી નું માળખું ક્યારે જાહેર કરશો. વાઘાણી કહ્યું તમે અજાણ છો. જાહેર થઈ ગયું છે. બાદમાં કહ્યું વિભાગ સાથે ચર્ચા કરીને કરીશું. રાજ્યના શિક્ષણ મંત્રી ફી ના માળખા વિશે અજાણ.

ગુજરાતના આ જિલ્લામાં એક-બે પુત્રી ધરાવતા દંપતિને અપાયાં પિંક કાર્ડ, જાણો શું મળશે મોટો સરકારી લાભ ?

જૂનાગઢઃ નવરાત્રિના નવરાત્રિના પ્રથમ દિવસે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દીકરીઓને પિન્ક કાર્ડની અનોખી ભેટ આપવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ એકશન પ્લાન ગુડ ગવર્નન્સ અંતર્ગત જૂનાગઢ પ્રાંતમાં જિલ્લા કલેકટર રચિત રાજ અને એસડીએમ અંકિત પન્નુએ પિન્ક કાર્ડ યોજનાનું ઉદઘાટન કરી લાભાર્થીઓને પિન્ક કાર્ડનું વિતરણ કર્યું હતું. જિલ્લા કલેકટર રચિત રાજે જણાવ્યું હતું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ઇનોવેટિવનેસ પિન્ક કાર્ડનું લોન્ચિંગ કર્યું છે. મારી દીકરી મારૂ અભિમાન અને મારૂં સ્વાભિમાન એ અંતર્ગત આ યોજના લાગુ કરી પિન્ક કાર્ડ ઇશ્યુ કરાયા છે. બેટી બચાવો, બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા આ કાર્ડ ઇશ્યુ કરાયા છે. આ યોજના અંતર્ગત જે દંપત્તિ 1 અથવા 2 દીકરી ધરાવે છે તેને આ કાર્ડનો ફાયદો મળશે.

પિન્ક કાર્ડ ધરાવનારને સરકારી કચેરીઓમાં કોઇપણ જાતની કામગીરી માટે લાઇનમાં ઉભા રહેવું નહી પડે. આવા કાર્ડ ધારકને સરકારી કામગીરીમાં પ્રાયોરિટી અપાશે. ગમે તેટલી લાંબી લાઇન હોય પિન્ક કાર્ડ ધારકોને સરકારી યોજનાના લાભ મેળવવા માટે લાઇનમાં ઉભવાથી મુક્તિ મળશે. દરમિયાન હાલ જૂનાગઢ તાલુકામાં પિન્ક કાર્ડ લોન્ચ કરાયા છે જેમાં જૂનાગઢ ગ્રામ્યમાં 1,618 અને શહેરમાં 1,000 લાભાર્થીઓ માટે કાર્ડ ઇશ્યુ કરાશે. અમે ઇચ્છીએ છીએ કે દરેક મા બાપ કે જે માત્ર દીકરી ધરાવે છે તે પોતાની દીકરી પ્રત્યે સ્વાભિમાન ધરાવે. પિન્ક કાર્ડની કામગીરી હાલ માત્ર જૂનાગઢ સિટી અને ગ્રામ્ય માટે જ કરાશે. આ એક પ્રયોગ છે. આ પ્રાયોગિક કામગીરીની સમિક્ષા કરાશે બાદમાં આ કામગીરી સમગ્ર જિલ્લામાં લાગુ કરાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પિન્ક કાર્ડ બનાવાયું છે. આ કાર્ડમાં પરિવારનાં સભ્યોનું નામ હશે. તેમજ કુટુંબનાં વડા, સરનામું, મોબાઇલ નંબર સહિતની વિગતો રહેશે. તેમજ કાર્ડમાં મામલતદારની સહી પણ રહેશે.